Western Times News

Gujarati News

અમદાવાદ જિલ્લામાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાશે

લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા “સ્વાગત કાર્યક્રમ”નું આયોજન

અધિક નિવાસી નાયબ કલેકટરશ્રીની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરૂવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

માહે:-ડિસેમ્બર-૨૨માં જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૧૨/૨૦૨૨(ગુરુવાર)ના રોજ કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, સુભાષ બ્રિજ સર્કલ, જુના વાડજ, અમદાવાદ-૩૮૦૦૨૭ ખાતે યોજાનાર છે.

તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૧/૧૨/૨૦૨૨(બુધવાર)ના રોજ સંબંધિત તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં યોજાનાર છે. અરજદારશ્રીઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૨૦/૧૨/૨૦૨૨ સુધીમાં કલેક્ટર કચેરી અમદાવાદ તથા તાલુકા કક્ષાના કાર્યક્રમ માટે તા.૧૯/૧૨/૨૦૨૨ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા/તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.