Western Times News

Gujarati News

દાહોદમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન- ર૦રર યોજાયું

(પ્રતિનિધિ) દાહોદ, જીસીઈઆરટી ગાંધીનગર અને ડાયટ દાહોદ પ્રેરિત, દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને મહાત્મા ગાંધી શાળા વિકાસ સંકુલ ૧ તેમજ સેન્ટ સ્ટીફન સ્કૂલ દાહોદ દ્વારા આયોજિત ,ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૨, તારીખ ૧૯ ૧૨ ૨૦૨૨ ને સવારમાં ૧૦ કલાકે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદ્‌ઘાટક જિલ્લા શિક્ષણ અધિકારી સુશ્રી કાજલબેન દવે હતા મુખ્ય મહેમાન જે.આર.પટેલ પ્રમુખ દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ અને એન.એસ પરમાર મંત્રીશ્રી દાહોદ ગરબાડા તાલુકા આચાર્ય સંઘ તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેધાવિનીબેન શાસ્ત્રી ,

મદદનીશ શિક્ષણ નિરીક્ષક સંજયભાઈ પરમાર, અન્ય શાળાઓના આચાર્યશ્રી ,ક્યુડીસી કન્વીનરશ્રીઓ , ક્રિડા મંડળના મંત્રીશ્રી ,વિજ્ઞાન મંડળના મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી અને સ્વાગત પ્રવચન સંકુલ સંયોજક ફાધર મારિયા પોલરાજ દ્વારા કરવામાં આવ્યુ હતું.

જિલ્લા વિજ્ઞાન મંડળના મંત્રીશ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદબોદન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને મુખ્ય મહેમાનશ્રીઓ દ્વારા પણ ઉદબોદન કરવામાં આવ્યું.

અધ્યક્ષ શ્રી કાજલબેન દવે મેડમ દ્વારા પણ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને અનુરૂપ ઉદબોધનમાં જણાવ્યું કે બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે.

આભાર વિધિ સહસંયોજક રીપલભાઈ અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી. રાષ્ટ્રગાન બાદ વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગમાં ૭૦ જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.