Western Times News

Gujarati News

મેક્સિકન સિટી જેલ પર હુમલો, ૧૪ લોકોના મોત

નવી દિલ્હી, મેક્સિકોની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો. આ હુમલામાં ૧૪ લોકોના મોત થયા હતા. ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો, જેમાં ૧૪ લોકો માર્યા ગયા અને ૨૪ કેદીઓ ભાગી ગયા.

ચિહુઆહુઆ સ્ટેટ પ્રોસીક્યુટર્સ ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન અજાણ્યા બંદૂકધારીઓએ સશસ્ત્ર વાહનોનો ઉપયોગ કર્યો હતો.

મૃતકોમાં ૧૦ જેલ ગાર્ડ અને સુરક્ષા એજન્ટનો સમાવેશ થાય છે. બંદૂકધારીઓએ ઉત્તરી મેક્સીકન શહેર સિઉદાદ જુઆરેઝની જેલમાં ઘૂસીને ૧૪ લોકોની હત્યા કરી હતી જ્યારે ૨૪ કેદીઓ ભાગવામાં સફળ થયા હતા, ચિહુઆહુઆ રાજ્યના ફરિયાદીની ઓફિસે જણાવ્યું હતું.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હુમલાના થોડા સમય પહેલા સશસ્ત્ર માણસોએ બુલવાર્ડ પાસે મ્યુનિસિપલ પોલીસ પર ગોળીબાર કર્યો હતો.

ત્યારબાદ હુમલાખોરોએ જેલની બહાર સુરક્ષા એજન્ટોના અન્ય જૂથ પર ગોળીબાર કર્યો હતો. મળતી માહિતી મુજબ કેટલાક કેદીઓના સંબંધીઓ નવા વર્ષ નિમિત્તે તેમને મળવા માટે કેમ્પસની બહાર રાહ જાેઈ રહ્યા હતા. બંદૂકધારીઓના ફાયરિંગની ઘટના બાદ જેલ અને તેની આસપાસના વિસ્તારોમાં અફરા-તફરી મચી ગઈ હતી.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે જેલની અંદર કેટલાક તોફાની કેદીઓએ અનેક વસ્તુઓને આગ લગાડી હતી અને જેલના રક્ષકો સાથે અથડામણ કરી હતી. જાે કે ૨૪ કેદીઓ કેવી રીતે ભાગી ગયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

હાલ હુમલા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીએ કહ્યું કે હુમલા બાદ ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. જાેકે, તેમણે એ જણાવ્યું ન હતું કે અટકાયત કરાયેલા લોકો કેદીઓ હતા કે સશસ્ત્ર. જાે કે ૨૪ કેદીઓ જેલમાંથી કેવી રીતે ભાગી ગયા તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

અલ પાસોના વકીલોએ જણાવ્યું હતું કે તેઓ જેલ પરના હુમલાના હેતુની તપાસ કરી રહ્યા છે. સેંકડો મેક્સીકન સૈનિકોને ઓગસ્ટમાં જુઆરેઝ મોકલવામાં આવ્યા હતા જ્યારે બે હરીફ કાર્ટેલના સભ્યો વચ્ચે જેલમાં સામસામે રમખાણ અને ગોળીબાર થયો હતો. આ દરમિયાન ૧૧ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના નાગરિકો હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.