Western Times News

Gujarati News

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમનું નિધન

વડોદરા, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડો.મંજુલા સુબ્રમણ્યમનું નિધન થયું છે.અહીં નિધન થયું છે.ડો મંજુલા સુબ્રમણ્યમ છેલ્લા લાંબા સમયથી બીમાર હતાં .તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના નિધન પર શોક વ્યકત કર્યો છે.

મંજુલા સુબ્રમણ્યમ ૧૯૭૨ની બેચના આઇએએસ અધિકારી હતાં ૨૦૦૮માં નિવૃત થયા બાદ તેઓએ અનેક પદો પર ફરજ બજાવી હતી ત્યારે મંજુલા સુબ્રમણ્યમના નિધનથી આઇએએસ બેડામાં શોક વ્યાપી ગયો છે.

ડો મંજુલા સુબ્રણ્યમનો ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકેનો કાર્યકાળ ૧ સપ્ટેમ્બર ૨૦૦૨થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૦૨છી ૨૦૦૮ સુધીનો રહ્યો હતો જાે કે તેઓ રિટાયર્ટમેન્ટ બાદ તેઓની સ્વચ્છ છબીને જાેતા સરકારે તેમને વિજિલન્સ કમિશ્નર બનાવ્યા હતાં તેઓ નિવૃત્તી બાદ પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહ્યાં હતાં સાબરમતી રિવરફંટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં પણ તેઓનું યોગદાન ખુબ જ મહત્વનું હતું આ ઉપરાંત તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપનીમાં પણ તેઓ ડાયરેકટર રહ્યાં હતાં તેઓએ આ પદ પરથી પોતાના સ્વાસ્થયની સમસ્યાઓના કારણે રાજીનામુ આપ્યું હતું.

તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉંડા શોકની લાગણી વ્યકત કરી ટ્‌વીટ કરી કહ્યું કે ડો મંજુલા સુબ્રમણ્યમ જીના નિધનથી દુખી છું નીતિ સંબંધિત મુદ્દાઓ મામલે તેમની સમજણ અને કાર્યલક્ષી અભિગમને કારણે તેઓને ચારેતરફ માન મળ્યું છે.જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મને તેમની સાથેની મારી વાતચીત યાદ છે તેના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી સંવેદના છે ઓમ શાંતિ.

દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ટ્‌વીટમાં કહ્યું હતું કે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ ડો મંજુલા સુબ્રમણ્યમના નિધન પર દુખની લાગણી વ્યકત કરૂ છું રાજયની વિકાસયાત્રામાં તેમણે આપેલું યોગદાન પ્રશંસનીય છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું ઓમ શાંતિ.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.