Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અમદાવાદમાં ૮મી જાન્યુઆરીએે બ્રહ્મચોર્યાસી કાર્યક્રમ યોજાશે

કાર્યક્રમને સફળ બનાવવા પાટણ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજની મીટીંગ યોજાઈ

પાટણ, અમદાવાદ ખાતે તા.૮મી જાન્યુઆરીના રોજ યોજાનાર બ્રહ્મચોર્યાસીના આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ત્યારે આ આયોજનમાં પાટણના બ્રહ્મ સમાજના લોકો પણ સહભાગી બનવા તત્પર બન્યા છે.

ત્યારે શનિવારના રોજ આ કાર્યક્રમને અનુલક્ષીને અમદાવાદથી આમંત્રણ આપવા પધારેલા મૂળ સંખ્રી ગામના વતની મુકેશભાઈ પંડ્યા, રિતેશભાઈ અને તેમની ટીમની ખાસ ઉપસ્થિતિમાં પાટણના જગન્ના મંદિર પરિસર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના લોકોની મીટીંગ યોજવામાં આવી હતી.

પાટણના ભૂદવેોને આમંત્રણ આપવા માટે તેમજ કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપવા માટેે પધારેલા મુકેશભાઈ પંડ્યાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર બ્રહ્મ સમાજના ભગવાન જગન્નાથની પૂજા કરાવી હતી. આ પ્રસંગેેે વિજય હનુમાન આશ્રમના સન્યાસી પૂ.શ્રી રાજેેન્દ્ર ગીરીબાપુએ પણ હાજરી આપી હતી.

જગન્નાથ મંદિર હોલમાં યોજાયેલી સમસ્ત બ્રહ્મ સમાજના જુદા જુદા સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગની શરૂઆત પહેલાં આવેલા મહેમાનોનું ફૂલહારથી તેમજ ભગવાન જગન્નાથની ફોટો પ્રતિમા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગેે સન્યાસી રાજેન્દ્ર ગીરીબાપુ મુકેશભાઈ પંડ્યા ગીરીશભાઈ દવે, વિનોદભાઈ જાેષી, જગન્નાથભાઈ, અરવિંદભાઈ રાવલ તેમજ પાટણવાડા બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ ઉપરાંત જુદા જુદા બ્રહ્મ સમાજના આગેવાનોનેું સ્વાગત અને સન્માન બાદ પિયુષભાઈ આચાર્યએ પ્રસંગોચિત્ત શાબ્દિક સ્વાગત કરી બ્રહ્મ ચોર્યાસીના કાર્યક્રમની ટૂકી માહિતી આપી, પાટણ શહેરમાંથી વધુમાં વધુ બ્રાહ્મણો હાજરી આપે એવી વિનંતી કરાઈ હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers