Western Times News

Gujarati News

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભૂકંપના આંચકાથી ગભરાટ

અમદાવાદ: ગુજરાતમાં આવેલાં વિનાશક ભૂકંપ બાદ અવારનવાર ભૂકંપના આંચકાથી ગુજરાતનાં અનેક વિસ્તારો સતત ધ્રૂજતાં રહે છે આ દરમ્યાનમાં ગઈકાલે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત રાત્રે પણ સૌરાષ્ટ્ર ઉપરાંત દ.ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા ભૂસ્તરશાસ્ત્રી એલર્ટ થઈ ગયાં છે.

ગુજરાતમાં સક્રિય બનેલી નવી ફોલ્ટ લાઈનથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં અવારનવાર આફટર શોક બાદ છેલ્લાં કેટલાંક સમયથી ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે. ગઈકાલે જામનગરમાં જમીનમાંથી અવાજ સાથે ભૂકંપનો આંચકો આવતાં નાગરીકો ફફડી ઉઠ્યાં હતાં. આ દરમ્યાનમાં રાત્રે નવસારી સહિત દ.ગુજરાતનાં કેટલાં વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

સૌરાષ્ટ્રમાં છેલ્લાં ઘણાં સમયથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. આ દરમ્યાનમાં ગઈકાલે દિવસ દરમ્યાન કચ્છ-ભુજ તથા જામનગર તથા આસપાસના વિસ્તારોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચિંતાજનક બાબત એ છે કે ભૂકંપના આંચકા સમયે જમીનમાંથી અવાજ આવ્યો હતો. જેનાં કારણે લોકોનાં મગજમાં વિનાશક ભૂકંપની યાદ તાજી થઈ ગઈ હતી.

દિવસ દરમ્યાન આ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જાવા મળતો હતો અને નાગરીકો રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં. ભૂસ્તરશા†ીઓ પણ આ અંગે તપાસ શરૂ કરી હતી અને તેમાં નવી ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાનું જાણવા મળ્યું હતું. હજી આ અંગની તપાસ ચાલી રહી છે

ત્યાં રાત્રે ફરી એક વખત જામનગર, ભચાઉ, તાપી, નવસારી સહિતનાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
જેનાં પરીણામે નાગરીકો રાત્રે જ ઘરની બહાર ઠંડી વચ્ચે દોડી આવ્યાં હતાં. જાકે ભૂકંપની તીવ્રતા ખૂબ જ ઓછી હતી પરંતુ નવી ફોલ્ટ લાઈન સક્રિય થયાંની માહિતીથી ભૂસ્તરશા†ીઓ એલર્ટ થઈ ગયાં છે. ગુજરાતમાં આવેલાં વિનાશક ભૂકંપ બાદ સમગ્ર ગુજરાત ફોલ્ટ લાઈન ઉપર આવેલો હોવાથી ભૂસ્તરશા†ીઓ દ્વારા સતત નજર રાખવામાં આવતી હોય છે.

ગઈકાલે દિવસ દરમ્યાન કચ્છ અને ભચાઉમાં આવેલાં ભૂકંપથી ભૂસ્તરશા†ીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરતાં જૂની ફોલ્ટ લાઈનનાં બદલે નવી ફોલ્ટ લાઈન સક્રિય થઈ હોવાનું જણાવ્યું હતું. જેનાં પરીણામે હવે બે ફોલ્ટ લાઈનોના કારણે ચિંતાનો વિષય બની ગયો છે. ગઈકાલે દિવસ દરમ્યાન કચ્છ-ભુજ તથા જામનગરમાં ભયનો માહોલ છવાયો હતો ત્યારે રાત્રે પણ ફરી વખત ભૂકંપના આંચકા આવતાં નાગરીકો ગભરાઈ ગયાં છે.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી જામનગર તથા તેની આસપાસના વિસ્તારોમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. પરંતુ ગઈકાલે કચ્છ-ભુજમાં પણ આંચકો આવ્યો હતો. ગુજરાતની અંદર વિનાશક ભૂકંપ બાદ પુનઃનિર્માણની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી. અને આ ભૂકંપનો કેન્દ્રબિંદુ પણ કચ્છ નજીક આવેલું હતું. ત્યારબાદ ફરી એક વખત કચ્છમાં જ નવું કેન્દ્ર બિંદુ જાવા મળતાં હવે કચ્છવાસીઓમાં પણ ભય ફેલાયો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં સાવચેતીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે. ભૂસ્તરશા†ીઓની એક ટીમ દિલ્હીથી ગુજરાત આવી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.