Western Times News

Gujarati News

પાનોલી GIDC કંપનીમાં આગ બાદ આખું સંજાલી ગામ ખાલી

ભરૂચ, ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલી GIDCમાં કેમિકલ કંપનીમાં બુધવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી હતી. જીઆઈડીસીની અક્ષરનિધિ ફાર્મા કંપનીમાં આગ લાગતાં સાતથી વધારે ફાયર ફાઇટરની મદદથી આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

આ આગને કારણે વાયુ પ્રદુષણ ફેલાયું હતુ. જેના કારણે પાસે આવેલા સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. જેના કારણે આખેઆખું ગામ ઘર છોડીને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી ગયા હતા.

નોંધનીય છે કે, સંજાેલી ગામ આશરે ૧૫૦૦ જેટલી વસ્તી ધરાવે છે. તે તમામ લોકોને સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જતા રહેવાની ફરજ પડી છે.

આ ઉપરાંત વાયુ પ્રદુષણને કારણે અસરગ્રસ્ત લોકોને પણ પ્રાથમિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની ગંભીરતા જાેતા તંત્ર પણ સફાળું જાગી ગયું હતુ. ભરૂચના નાયબ કલેકટર એન આર ધાંધલ, અંકલેશ્વર આસિસ્ટન્ટ કલેકટર નતિષા માથુર, અંકલેશ્વર ડીવાયએસપી ચિરાગ દેસાઈ, જીપીસીબી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ આગ બાદનાં પ્રદુષણને કારણે લોકોને આંખમાં બળતરા અને શ્વાસ રૂંધાવાની તકલીફ થઇ રહી હતી. જાેકે, અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર પણ આપવામાં આવી હતી. વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ થવા પામી ન હતી અને સ્થિતિ નોર્મલ થતાં તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પરંતુ વારંવાર બનતી આવી ઘટનાના પગલે ગ્રામજનોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે અને આવી કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સંજાલી ગામના લોકોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડતા વહિવટી તંત્ર દોડતુ થયુ હતુ. તકલીફ વધતા લોકો ઘર બંધ કરી નેશનલ હાઈવે નંબર ૪૮ તરફ દોડી જતા ૧૫૦૦ થી વધુ વસ્તી ધરાવતું ગામ ખાલી થઈ ગયુ હતુ.

વાયુ પ્રદૂષણની અસર લોકોને થતા એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અસરગ્રસ્તોને નજીકની એચએમપી ફાઉન્ડેશન કોલેજમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતુ. વાયુ પ્રદૂષણમાં કોઈને મોટી જાનહાનિ થઇ ન હતી. સ્થિતિ નોર્મલ થતાં તંત્ર અને લોકોએ રાહત નો શ્વાસ લીધો હતો.

ભરૂચ જિલ્લાના પાનોલીમાં આવેલી GIDCમાં કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગના કારણે આજૂ બાજુના વિસ્તારોમાં રહેલા લોકોની આંખોમાં બળતરા થવા લાગી હતી. ઉલ્લેખનીય છે કે, આંખોમાં બળતરા થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદા તાત્કાલિક સારવાર આપાવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.