Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કંઝાવલા કાંડઃ ૪ આરોપીઓ વિરુદ્ધ ચાલશે હત્યાનો કેસ

નવી દિલ્હી, કંઝાવલા કેસમાં હવે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો કેસ ચાલશે. દિલ્હી પોલીસે એક યુવતીની સ્કૂટીને કારથી ટક્કર માર્યા બાદ લગભગ ૧૨ કિમી સુધી તેને ધસેડવાના મામલે ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવ્યો છે.

અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, આ મામલે સાતમાંથી છ આરોપીઓ વિરુદ્ધ પહેલેથી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૪ હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઘટનાના સમયે અમિત ખન્ના, કૃષ્ણ, મિથુન અને મનોજ મિત્તલ કારમાં સવાર હતા અને તેની વિરુદ્ધ હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. હત્યાનો આરોપ લાગ્યા બાદ આરોપીઓને મૃત્યુદંડ કે આજીવન કારાવાસ અને દંડની સજા મળી શકે છે. આ પહેલાં પોલીસે કહ્યું હતું કે, આ મામલે સાતમાંથી છ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો આરોપ લાગ્યો હતો.

વિશેષ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે, સુલતાનપુરીની ઘટનામાં ભૌતિક, મૌખિક, ફોરેન્સિક અને અન્ય વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા બાદ પોલીસે આઈપીસીની કલમ ૩૦૪ની કલમ સામેલ કરી છે.

આ મામલે આગળની તપાસ ચાલી રહી છે. આ પગલું દિલ્હી પોલીસ દ્વારા એક સત્ર કોર્ટને એ જણાવ્યા બાદ એક દિવસ પછી ઉઠાવવામાં આવ્યું છે કે આ મામલે આઈપીસીની કલમ ૩૦૨ સામેલ કરશે.

નાયબ પોલીસ કમિશનર હરેન્દ્ર કે સિંહે એક નિવેદનમાં કહ્યું કે, પોલીસે પીડિતાના પરિવારને જલ્દી વળતર અપાવવા માટે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલનો પણ સંપર્ક કર્યો છે. તેઓએ જણાવ્યું કે, તથ્યો અને પરિસ્થિતિઓની તપાસ બાદ આઈપીસીની કલમ ૨૭૯ અને ૩૦૪એ હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

તેઓએ આગળ જણાવ્યું કે, આગળની તપાસ બાદ એફઆરઆઈમાં કલમ ૩૦૪, ૧૨૦બી અને ૩૪ને પણ એ જ દિવસે ઉમેરવામાં આવી હતી કે જે દિવસે ઘટનાની જાણ થઈ હતી. આઈપીસીની કલમ ૩૦૨છને સામેલ કરવાનો હેતુ એમએસીટીથી પીડિતાને વધુમાં વધુ લાભ મળે એ સુનિશ્ચિત કરવાનો હતો, કારણ કે પીડિતા તેના પરિવારની એકમાત્ર કમાઉ સભ્ય હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers