Western Times News

Gujarati News

રોહિત શર્મા આગામી આઈસીસી વનડે વિશ્વકપ-૨૦૨૩ સુધી ટીમની કમાન સંભાળશે

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાનમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સિરીઝ રમી રહી છે. ટીમની કમાન ધુરંધર ઓપનર રોહિત શર્માની પાસે છે અને તે શાનદાર અંદાજમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. તેણે શ્રીલંકા વિરુદ્ધ પોતાની આગેવાનીમાં ભારતને ૩-૦થી જીત અપાવી હતી. હવે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ વનડેમાં ૧૨ રને જીત મેળવી ભારતે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. સિરીઝનો બીજાે મુકાબલો ૨૧ જાન્યુઆરીએ રમાશે. આ પહેલા રોહિતની આગેવાની સાથે જાેડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્માની આગામી આઈસીસી વનડે વિશ્વકપ-૨૦૨૩ સુધી ટીમની કમાન સંભાળશે. ભારતે આ વર્ષના અંતમાં ઘરઆંગણે વનડે વિશ્વકપ રમવાનો છે. રોહિત આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આ ટૂર્નામેન્ટની સાથે રોહિત શર્માનો ભારતના વનડે કેપ્ટનના રૂપમાં કાર્યકાળ સમાપ્ત થઈ જશે. નવનિયુક્ત વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા આગામી વર્ષે રમાનાર ટી૨૦ વિશ્વકપ સુધી ભારતની સીમિત ઓવરોની કમાન સંભાળશે.

બીસીસીઆઈ સૂત્રોના હવાલાથી ઇનસાઇડ સ્પોર્ટના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રોહિત શર્મા આ વર્ષના અંત સુધી વનડે ટીમની કમાન સંભાળશે. બીસીસીઆઈને આશા છે કે રોહિત ટેસ્ટમાં આગેવાની કરતો રહેશે. પરંતુ તેના ટેસ્ટની આગેવાની અને ભવિષ્ય પર ર્નિણય વનડે વિશ્વકપ બાદ લેવામાં આવશે. આ વચ્ચે કેએલ રાહુલ ટેસ્ટ આગેવાનની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યો છે.

બીસીસીઆઈ અધિકારીએ આ રિપોર્ટમાં કહ્યું- અત્યારે રોહિત વનડે વિશ્વકપ સુધી ભારતનું નેતૃત્વ કરશે. અમારે આગળ શું કરવું છે, તે વિશે યોજના બનાવવી જાેઈએ. આગામી કેપ્ટન કોણ હશે. તો વિશે રાહ ન જાેઈ શકીએ. હું આ વાત પર ત્યારે કોઈ પ્રતિક્રિયા આપી શકુ છું. જાે રોહિત ૨૦૨૩ વિશ્વકપ બાદ વનડે ફોર્મેટ કે કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય કરશે તો અમારે એક યોજના બનાવવાની જરૂર છે. તેમણે આગળ કહ્યું- હાર્દિક કેપ્ટનશિપમાં સારૂ કરી રહ્યો છે. તે યુવા છે અને આગળ સુધાર થશે. અત્યારે રોબિત બાદ જાેવામાં આવે તો તેનાથી સારો વિકલ્પ કોઈ નથી. તેને સપોર્ટ કરવો જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.