Western Times News

Gujarati News

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 19 હજાર કરોડનું આયોજન

વિશેષ કરીને ગુજરાત માટેના પ્રાવધાન વિશે તેમણે કહ્યું કે, અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન યોજના માટે આ અંદાજપત્રમાં રૂ. 19,000 કરોડનું આયોજન છે. વર્ષ-2026 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરી શકાય એ ગતિએ કામ ચાલી રહ્યું છે.

શ્રી સુશીલ કુમાર મોદીએ અત્યંત મહત્વની વિગતો આપતાં કહ્યું હતું કે, ભારત સરકાર ગુજરાત સહિત પ્રત્યેક રાજ્યને આંતર માળખાકીય સુવિધાઓ માટે 50 વર્ષની મુદત માટે રૂ. 1 લાખ, 30 હજાર કરોડની વ્યાજમુક્ત લોન આપશે.

સહકારી ક્ષેત્ર અને ખેડૂતો માટે મહત્વની જોગવાઈઓ વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે, કો-ઓપરેટિવ સોસાયટીઓ રૂ. 2 લાખ સુધીની મર્યાદામાં રોકડ જમા કરાવી શકશે કે ઉપાડી શકશે. એટલું જ નહીં, કો-ઓપરેટિવ સેક્ટર માટે હવે રૂ.3 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન પર બે ટકા ટી.સી.એસ.ની જોગવાઈ કરવામાં આવી છે.

અગાઉ આ મર્યાદા રૂ. બે કરોડ સુધીના ટ્રાન્ઝેક્શન પર હતી. અત્યંત મહત્વની જાણકારી આપતાં તેમણે કહ્યું કે, ભારતમાં નેશનલ કો-ઓપરેટીવ યુનિવર્સિટી બનશે, જે કો-ઓપરેટીવ સેક્ટરના વિકાસ માટે પ્રશિક્ષણ આપશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ આયોજનને વધાવીને તેના સારા પરિણામો ગુજરાતને અને સમગ્ર દેશને મળશે એમ કહ્યું હતું.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.