Western Times News

Gujarati News

અખિલ ગુજરાત શિવ જયંતિ મહોત્સવના ઉપક્રમે ગોધરા ખાતે શિવ સંદેશ સનેહ મિલન કાર્યક્રમ યોજાશે

ગોધરા,  મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે શિવ સંદેશ સપ્તાહ અંતર્ગત ગોધરા શહેર ખાતે તા.૧૭ ફેબ્રુઆરી સુધી બ્રહ્મા કુમારીઝ પરિવાર દ્વારા શિવ સંદેશ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. Akhil Gujarat Shiv jayanti Godhra

જેમાં તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭.૩૦ કલાકે કોમન પ્લોટ, પંચવટી રિક્ષા સ્ટેન્ડની બાજુમાં, સાંપા રોડ ખાતે,૧૪ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે કોમન પ્લોટ, આનંદ નગર, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની આગળ,જાફરાબાદ ખાતે,
૧૫ ફેબ્રુઆરીના રોજ સાંજે ૬ કલાકે કોમન પ્લોટ,

ગાયત્રી નગર,રોયલ રેસીડેન્સી પાસે, બમરોલી રોડ ખાતે,તા.૧૬ ફેબ્રુઆરીના રોજ સાંજે ૮ કલાકે કોમન પ્લોટ,અંશ વિલા રેસીડેન્સી, ગોવિંદી રોડ ખાતે, તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૫ કલાકે સત્સંગ ભવન, વરુણ દેવ ડેરીની ગલીમાં, ઝુલેલાલ સોસાયટી,લુણાવાડા રોડ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. વધુ માહિતી માટે બ્રહ્માકુમારીઝ કેન્દ્રની મુલાકાત લેવા વિનંતિ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.