Western Times News

Gujarati News

વિરપુરમાં રોગ જાગૃતિના હેતુ સાથે સાયકલોથોન રેલીનું આયોજન કરાયું

(પ્રતિનિધિ) વિરપુર, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ વિરપુર તાલુકાની ત્રણ આરોગ્ય કેન્દ્ર વિવિધ પ્રકારના આરોગ્ય કર્મચારીઓ સાઇકલ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટાભાગના આરોગ્ય કર્મચારીઓ ભાગ લીધો હતો સવારે આઠ વાગ્યાથી રેલીનું આરોગ્ય કેન્દ્ર પરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તાલુકાની ડેભારી,બાર, સાલૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરો રેલી ભાગ લીધો હતો આ રેલી આરોગ્ય કેન્દ્ર પરથી ૪ કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો તે મુજબ રેલી ફરી હતી આ કાર્યક્રમનો હેતુ ફીટ ઇન્ડિયા સાથે કોરોના રસીકરણ માટે લોકોને મહત્તમ જાગૃત કરવાનો , ટીબી રોગ સામે જાગૃતિ, કુપોષણ નાબૂદીનો રહેશે વધુમાં વધુ લોકોને આ કાર્યક્રમમાં જાેડાવા માટે તાલુકા હેલ્થ અધિકારીએ બી જે માલીવાડ અનુરોધ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.