Western Times News

Gujarati News

મારી હત્યા માટે વિદેશથી પ્લાનિંગ થઈ રહ્યું છેઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

નવી દિલ્હી, છતરપુર સ્થિત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે ઘણા સવાલોના જવાબ આપ્યા. તેણે પોતાના પરના જાેખમ વિશે કહ્યું કે તેને મારીને ખતમ કરવા માટે વિદેશી પ્લાનિંગ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે હિન્દી અને હિંદુત્વ ખતરામાં છે. હિંદુઓના પોસ્ટર બોય બનવાના પ્રશ્ન પર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે, હિંદુસ્તાન અને હિંદુઓ જાગૃત થઈ રહ્યા છે, સનાતનની ક્રાંતિ આવી રહી છે જે વ્યાપક થઈને રહેશે, હિંદુ રાષ્ટ્ર બનશે અમને અમારા ભગવાનમાં શ્રદ્ધા છે, સન્યાસી બાબા લીલા કરશે.

જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે, પહેલા તમે રામ કથા કરતા હતા, હવે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કેવી રીતે કરવા લાગ્યા? તેના પર તેમણે કહ્યું- ‘અમારા મનમાં પહેલાથી જ હિન્દુ રાષ્ટ્રનો વિચાર હતો. તમે લોકોએ અમને આ ખ્યાલ પર અડગ રાખ્યા છે. આપણું સનાતન હિંદુ રાષ્ટ્ર, હિંદુત્વ ભાવ… આ આપણામાં નથી તો કોનામાં છે? દરેક હિંદુ પાસે આ જુસ્સો હોવો જાેઈએ. ભગવાન કરે તમારામાં પણ આ જુસ્સો હોય. ટીવી વાળાઓમાં પણ જુસ્સો હોવો જાેઈએ.

જાે તમારામાં આ જુસ્સો ન હોય તો તમારા હિંદુ હોવાનો શું અર્થ? ઘર વાપસી અંગે તેમણે કહ્યું કે, અમે ઘર વાપસી કરાવવા નથી જતા. કોઈ આવી જાય તો અમે ના ન કહી શકીએ. તેમને ભગાડી ન શકીએ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે વિદેશીઓનું પ્લાનિંગ આપણને બરબાદ કરવા અને ડુબાડવા માટે ચાલી રહ્યું છે. અમને બદનામ કરવાની યોજના ચાલી રહી છે. વિદેશી ટીમો આ કરી રહી છે. બાગેશ્વર ધામના વડાએ કહ્યું કે રામ રાજ્યની પરિકલ્પના છે તેથી હિન્દુ રાષ્ટ્ર રામચરિતમાનસને રાષ્ટ્રીય ગ્રંથ બનાવવાનો છે. તેમણે આગળ કહ્યું કે, ‘હિન્દુ અને હિન્દી અત્યારે ખતરામાં છે એવું એવું લાગે છે. પણ ખતરો કોઈથી નથી.. આપણે નષ્ટ થવાની જરૂર નથી. હિંદુ, હિન્દી અને હિંદુત્વનો પ્રચાર વ્યાપકપણે થવો જાેઈએ.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.