Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની માંગણીએ શિવસેનાને ડુબાડી

File

મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા બાદ શિવસેનાએ અચાનક જ પોતાનુ વલણ બદલી નાખ્યુ હતું અને મુખ્યમંત્રી પદની માંગ કરતા ભાજપે તે માંગને ફગાવી દીધી હતી ત્યારબાદ શિવસેનાએ એનસીપી સાથે ચર્ચા વિચારણા શરૂ કરી હતી જાકે આ બેઠકમાં પણ મુખ્યમંત્રી શિવસેનાનો જ બનશે તેવો દાવો રજુ કરાતો હતો જાકે મહારાષ્ટ્રમાં સરકાર રચાય તે માટે એનસીપીના કેટલાક નેતાઓએ આ મુદ્દે કોંગ્રેસનો સંપર્ક સાધ્યો હતો

પરંતુ કોંગ્રેસના પણ કેટલાક નેતાઓ શિવસેનાને ટેકો આપવાની તરફેણમાં ન હતાં ત્યારે બીજીબાજુ શિવસેનાના પ્રવકતા સંજય રાઉત સતત શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તેવા નિવેદનો કરતા હતા જેના પરિણામે પરિસ્થિતિ  વધુ ગુંચવાઈ હતી અને આખરે મુખ્યમંત્રી પદની માંગણીથી શિવસેના ડુબી ગઈ તેવું ચિત્ર ઉપસી રહયું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.