Western Times News

Gujarati News

ભાગવત કથા નિમિત્તે મોહન ડેલકરને બીજી પૂણ્યતિથિ પર ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ

(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલીના ૭ ટર્મના વરિષ્ઠ સાંસદ,લોકપ્રિય નેતા દિવંગત મોહન ડેલકરને તા.૨૨ ફેબ્રુઆરીના રોજ બીજી પૂણ્યતિથિ પર સાંસદ કલાબેન ડેલકર, પુત્ર અભિનવ ડેલકર સહિત ડેલકર પરિવારના તમામ સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં ચાહકોની ઉપસ્થિતિમાં ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ડેલકર પરિવાર દ્વારા ૭ દિવસીય શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન સાયલી ખાતે ડેલકર ફાર્મમાં કરવામાં આવ્યું છે.કથાનું રસપાન પ્રસિદ્ધ કથાકાર/ભાગવતાચાર્ય પ.પૂ.શ્રી શરદભાઈ વ્યાસ કથાનું કરાવી રહ્યા છે. જેમાં કૃષ્ણ જન્મ, ગોવર્ધનપૂજા, રૂકમણી વિવાહ સહિત વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે.

મોહનભાઈ ડેલકરને તેમની બીજી પૂણ્યતિથિ પર કથાકાર શરદભાઈ વ્યાસ દ્વારા શાંતિ પ્રાર્થના અને સ્વામિનારાયણના શ્રી ચિન્મય સ્વામી દ્વારા શાંતિ પાઠ કરાવવામાં આવ્યો હતો. આ કથા માટે પ્રદેશની જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેર અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહીને કથા શ્રવણ કરી રહ્યા છે. ડેલકર પરિવાર દ્વારા ૭ દિવસ સુધી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.