Western Times News

Gujarati News

અમૃત પરીયોજના અંતગર્ત વિરપુરના જાેધપુર ગામનું તળાવ કિનારાની સફાઇ કરીને સ્વચ્છ બનાવ્યું

(પ્રતિનિધિ) વીરપુર, અમૃત પરિયોજના અંતર્ગત સ્વચ્છ જળ-સ્વચ્છ મનનો શુભારંભ કરાયો હતા. જેમાં સવારે નિરંકારી ભકતો વિરપુર તાલુકાના જાેધપુર ગામના ભાથીજી મંદિર પાસેના તળાવના કિનારે કાદવ કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદકી સાફ કરી સ્વચ્છ જળ-સ્વચ્છ મન અને સ્વચ્છ જળ સ્વચ્છ વિરપુર થીમ સાથે તળાવ ખાતે સાફ સફાઈ કરવા ઉતરી પડ્યા હતા આ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ગામના યુવાનો સહિતના સંત નિરકારી મિશનના સદસ્યો સહિત સ્થાનિક લોકોએ જાેધપુર ગામનુ તળાવના તટની સાફ-સફાઈ કરી સમગ્ર ગામને સ્વચ્છતા રાખવાનું આહ્વાન કરી સ્વચ્છ જળ અને સ્વચ્છ મન તેમજ સ્વચ્છ જળ અને સ્વચ્છ વિરપુરનું સૂત્ર આપ્યું હતું. જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનો આરંભ મુખ્ય હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.