Western Times News

Gujarati News

એવું તે શું થયું કે-બે દીકરીઓની હત્યા કરી પતિ-પત્નીએ આપઘાત કર્યો

૭ વર્ષીય કશીષ અને ૪ મહિનાની ઘિત્યાનું મોત

(એજન્સી)નવસારી, રાજ્યમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે હત્યા, અપહરણ અને અકસ્માતનો અનેક સમાચારો સામે આવે છે. What happened that husband and wife committed suicide by killing their two daughters

આપઘાતના કેસોમાં પણ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહ્યા છે ત્યારે નવસારીના રવાણીયા ગામે બે બાળકીની હત્યા કર્યા બાદ પતિ પત્નીએ આત્મહત્યા કરી લીધી હતી. હત્યા બાદ આત્મહત્યાના સમાચાર ગામમાં ફેલાતા સમગ્ર ગામમાં એરેરાટી ફેલાઈ ગઈ હતી.

ગ્રામજનોએ પોલીસને સમગ્ર બનાવ અંગે જાણ કરી હતી. પોલીસે હત્યા અને ત્યારબાદ આત્મહત્યા અંગે તપાસ હાથ ધરી હતી. બાળકોની હત્યા અને ત્યારબાદ આત્મહત્યાના બનાવ અંગે મળતી જાણકારી મુજબ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા રવાણીયાગામમાં રહેતા એક દંપતિએ પોતાની ૭ વર્ષીય અને ૪ મહિનાની બાળકીની હત્યા કરી હતી

અને ત્યારબાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. ગ્રામજનોએ સમગ્ર બનાવ અંગે પોલીસને જાણકારી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યુ હતુ કે, સમગ્ર બનાવ પાછળ પતિનો લગ્નેતર સબંધ કારણભૂત હોઈ શકે છે,

જાે કે, હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છએ ખરુ કારણ તો તપાસના અંતે જ જાણવા મળશે. આ હત્યા અને આપઘાત કેસમાં ૩૨ વર્ષીય ચુનીલાલ ગાવીત, તેમની ૩૨ વર્ષીય પત્ની તનુજા ગાવીત, ૭ વર્ષીય કશીષ અને ૪ મહિનાની ઘિત્યાનું મોત થયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.