Western Times News

Gujarati News

TMKOC શૈલેષ લોઢાએ પ્રોડ્યૂસર આસિતને આપી ચેતવણી?

જંગ તો હવે થશે: શૈલેષ લોઢા

શૈલેષ લોઢાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, લોકોના પૈસા ખિસ્સામાં રાખીને તેઓ શું કરશે?

મુંબઈ,TMKOC તેના કન્ટેન્ટ કરતાં વધારે સીરિયલ છોડીને જઈ રહેલા કલાકારોના કારણે વધારે વિવાદમાં રહે છે. ગત વર્ષની શરૂઆતમાં શૈલેષ લોઢાની એક્ઝિટ થઈ ત્યારથી ખૂબ ચર્ચા રહી છે. તેમને આ ર્નિણય પાછળના ઘણા કારણો સામે આવ્યા હતા. TMKOC Shailesh Lodha gave a warning to producer Asit?

કહેવામાં આવી રહ્યું હતું કે, પ્રોડ્યૂસર આસિત કુમાર મોદી સાથે તેમની બબાલ થઈ હતી. તો કેટલાક રિપોર્ટ્‌સમાં તેવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, બાકીના કલાકારોએ તેમની સામે ટીમ બનાવી હતી અને તેમને અપમાનિત કરતા હતા. જાે કે, શૈલેષ લોઢાએ આજ સુધીમાં ક્યારેય પણ ચોક્કસ કારણનો ખુલાસો થયો નથી.

 

View this post on Instagram

 

A post shared by Shailesh Lodha (@iamshaileshlodha)

ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર પોતે લખેલી શાયરી અને કવિતા શેર કરતાં રહેતા આ એક્ટરે વધુ એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે નામ લીધા વગર TMKOCના મેકર્સ પર કટાક્ષ કર્યો હોવાનું ફોલોઅર્સને લાગી રહ્યું છે. શૈલેષ લોઢાએ પોતાની એક તસવીર શેર કરી અને સાથે લખ્યું કે ‘દુઆ કરો કિ સલામત રહે મેરી હિંમત, યે એક ચિરાગ, કઈ આંધિયો પર ભારી હૈ… વસીમ સાહબ કા યે શેર બિલકુલ મુફીદ હૈ ક્યોકિં ‘અબ જંગ તો હોગી”.

એક યૂઝરે તરત જ કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘જંગ તો છેડાઈ ચૂકી છે હવે પરિણામ શું આવે છે તે જાેવાનું રહેશે’, એક યૂઝરે પૂછ્યું હતું ‘કોની સાથે જંગ કરશો સર?’ તો એકે સીધું ‘આસિત મોદી’ લખી દીધું હતું. અન્ય એક યૂઝરે કોમેન્ટ કરી હતી કે ‘સર આસિત જી વિરુદ્ધ જંગ કેવા પ્રકારની હશે’.

કેટલાક ફેન્સે આ લડાઈમાં તેઓ તેમની સાથે હોવાનું કહ્યું હતું તો કેટલાકે તેમને TMKOCમાં પરત આવવાની વિનંતી કરી હતી. ફેબ્રુઆરીના અંતમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં જ્યારે શૈલેષ લોઢાને શો છોડવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, જે છૂટી ગયું તેના વિશે શું કહેવું? કેટલાક લોકો બીજાની પ્રતિભાથી કમાણી કરે છે અને પોતાને મોટા સમજવા લાગે છે.

બીજાની પ્રતિભાથી કમાણી કરનારી વ્યક્તિ ક્યારેય મોટી હોઈ શકે નહીં. દુનિયાનો કોઈ પણ પ્રોડ્યૂસર ક્યારેય કોઈ એક્ટરથી મોટો હોતો નથી. અગાઉ તેવી ખબરો હતો કે, શૈલેષ લોઢાની એક વર્ષની બાકી ફી હજી સુધી આસિત મોદીએ ચૂકવી નથી.

તો તેના પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે, લોકોના પૈસા ખિસ્સામાં રાખીને તેઓ શું કરશે? ભગવાને તેમને ઘણું આપ્યું છે અને ખાસ તો લોકોનો પ્રેમ આપ્યો છે. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘લોકોના પૈસા પોતાની પાસે રાખું તેવો માણસ હું નથી’.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.