Western Times News

Gujarati News

ગળતેશ્વરના અંઘાડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) સેવાલિયા, ગુજરાત સરકારના વિકાસના કામોની વણઝારમાં વધુ એક સોનેરી પંખ ઉમેરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને તેમજ ઠાસરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી યોગેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં વિવિધ આરોગ્ય કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આ અન્વયે ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં આરોગ્ય વિભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંઘાડી અને કંથરાઈ તેમજ પેટા આરોગ્ય કેન્દ્રો વાઘરોલી-૨ ચીતલાવ, આજરોલી, ઢુંણાદરા-૨, કાલસર-૨ અને કુણી-૨ ખાતે નવીન મકાનોનો અંઘાડી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.