Western Times News

Gujarati News

રાજ્ય સરકારે વધુ ૬ શ્રેણીમાં ૯૦ હજાર કરોડના ૫૯ MoU કર્યા

(એજન્સી)ગાંધીનગર, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલો ‘આર્ત્મનિભર ભારત’નો કોલ આર્ત્મનિભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવામાં રાજ્ય સરકારે વધુ એક કદમ માતબર મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. દ્વારા ભર્યુ છે.

આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-ર૦રર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે એમઓયુ કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના છ તબક્કાઓ તા. ૧૩/૦૨/૨૦૨૩થી ૨૭/૦૩/૨૦૨૩ દરમ્યાન પૂર્ણ થયા છે અને કુલ પ૯ જેટલા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૯૦,૬૬૫ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.

એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી ૬૫,૪૩૧ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે. જે ક્ષેત્રોમાં અત્યાર સુધીમા એમઓયુ થયા છે તેમા કેમિકલ ક્ષેત્રે ૪૦ હજાર, એન્જીનિયરીંગ ક્ષેત્રે ૬ હજાર અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે પાંચ હજાર સૂચિત રોજગારીની તકો ઉપલબ્ધ થશે.

‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્ટસ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ને વધુ ગતિ આપતાં આ સોમવારે તા.ર૭મી માર્ચે એક જ દિવસમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિવિધ ઉદ્યોગકારોએ કર્યા હતા. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતીમાં થયેલા આ ૩ એમઓયુ દ્વારા રાજ્યમાં રૂ. ૧૧,ર૯૧ કરોડનું સૂચિત રોકાણ આવશે

અને ૧૦,૬૦૦ જેટલી સંભવિત રોજગારીનું સર્જન થશે. આ બહુવિધ એમઓયુ અન્વયે ફાર્માસ્યુટિકલ્સ અને સોડાએશ ઉદ્યોગોમાં રોકાણો આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.