Western Times News

Gujarati News

નિખિલને શાલિન ભનોતે કહ્યું કેટલીક વસ્તુઓ હું તેને આપી શકું તેમ નથી

મુંબઈ, પહેલું લગ્નજીવન નિષ્ફળ રહ્યા બાદ દલજીત કૌર ફરી પ્રેમમાં પડતા ડરી રહી હતી. જાે કે, ગત વર્ષે દુબઈમાં ફ્રેન્ડને ત્યાં યોજાયેલી પાર્ટીમાં જ્યારે તેની મુલાકાત નિખિલ પટેલ સાથે થઈ ત્યારે તેનો મત બદલાઈ ગયો હતો. બંને તેમના બાળકો પ્રત્યેના પ્રેમથી કનેક્ટ થયા હતા અને જાન્યુઆરીમાં નેપાળમાં સગાઈ કર્યા બાદ ૧૯મી માર્ચે લગ્ન કરી લીધા હતા.

દલજીત અને તેનો દીકરો જેડન તેમજ નિખિલ અને તેની દીકરી આરિયાના હાલ કેન્યાના નાઈરોબીમાં શિફ્ટ થયા છે. હાલમાં અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતાં કપલે એક્ટ્રેસના પૂર્વ પતિ શાલિન ભનોત વિશે વાત કરી હતી.

આ સાથે તેમણે તેમ પણ કહ્યું હતું કે, લગ્ન બાદ તેઓ તેને મળ્યા હતા અને જેડન વિશે વાત કરી હતી. દલજીત કૌરે કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે જેડન ખુશ ન રહે તેમ શાલિન ઈચ્છે. અમે બંને જેડન માટે સારું ઈચ્છીએ છીએ.

રસ્તે જનારી કોઈ પણ વ્યક્તિને પૂછશો તો તે પણ કહેશે કે અમે જેડન માટે શ્રેષ્ઠ ર્નિણય જ લઈશું. તે પૂર્ણ પરિવારની વાત હોય, બહેન હોવાની વાત હોય, સારું શિક્ષણ હોય કે સામાન્ય જીવન. આનાથી વધારે જેડનને કોઈ આપી શકે નહીં. અમે વાત કરી હતી અને તે ખુશ હતો. હનીમૂન પરથી આવ્યા બાદ કેન્યા માટે ફ્લાઈટ પકડી તે પહેલા નિખિલ પટેલે પત્ની દલજીત કૌરના પૂર્વ પતિ શાલિન સાથે મુલાકાત કરી હતી. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘અમે ચર્ચા પણ કરી હતી. મેં તેની સાથે વાત કરી હતી.

અમે જેડન વિશે વાત કરી હતી. તે ખુશ હતો. તેણે કહ્યું હતું કે, ‘તું તેને કેટલીક એવી વસ્તુઓ આપી શકે છે જે હું તેને આપી શકું તેમ નથી’. જેડનના નવા જીવન વિશે તે ખુશ હતો. તે એક આદર હતો.

દલજીત પોતે જ્યારે જીવનમાં આગળ વધી ગઈ છે ત્યારે શાલિન ભનોત પણ આવું કંઈક કરે તેવી ઈચ્છા તેણે વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘જે દિવસે શાલિન સેટલ ડાઉન થવાનું વિચારશે ત્યારે હું પણ ખુશ થઈશ.

જ્યારે તે બિગ બોસના ઘરમાં હતો ત્યારે પણ તે કોઈને પ્રેમ કરતો હોવાની ખબર હતી. હું તે જાણીને ખુશ થઈ હતી. અમારા ડિવોર્સને સાત વર્ષ થઈ ગયા છે અને અમે આગળ વધી ગયા છીએ. જાે તે કોઈને શોધશે તો હું સૌથી વધું ખુશ થઈશ’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.