Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

આ કારણસર કેદારનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવાયું

Kedarnath Dham decorated with flowers

કેદારનાથ ધામમાં ખરાબ હવામાનને જાેતા ત્રીજી મે સુધી હાલમાં રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

દેહરાદૂન,  હવામાનની દૃષ્ટિએ આ વર્ષે મે મહિનાની શરૂઆત પણ ઘણી રાહત આપનારી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશની જેમ ઉત્તરાખંડમાં પણ વરસાદ અને ભારે પવનની સંભાવના છે. વરસાદ ઉપરાંત ઉત્તરાખંડના ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. રવિવારે રાજ્યમાં મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી રહેવાની શક્યતા છે.

તે જ સમયે, પવનની ઝડપ ૭૦ કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. વરસાદ, ભારે પવન અને હિમવર્ષાના કારણે ઘણા ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ખરાબ હવામાનના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ રહી છે.

કેદારનાથ ધામ માટે મુસાફરોની નોંધણી હવે ૩ મે સુધી બંધ કરી દેવામાં આવી છે. અગાઉ, કેદારનાથ ધામ માટે તીર્થયાત્રીઓની નોંધણી ગત રવિવાર સવારથી ૩૦ એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે હવામાનની ચેતવણી જાહેર કરી છે. આ પછી નોંધણી સસ્પેન્શનની અવધિ લંબાવવામાં આવી છે.

ચાર ધામ યાત્રા પ્રશાસન સંગઠનના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી નરેન્દ્ર સિંહ ક્વિરિયાલના જણાવ્યા અનુસાર, કેદારનાથ ધામમાં હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે બહારથી આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે ધ્યાનમાં રાખીને આ કરવામાં આવ્યું છે. બીજી તરફ મળતી માહિતી મુજબ કેદારનાથમાં ૧૮ એપ્રિલથી હિમવર્ષાનો ક્રમ ચાલુ છે. શનિવારે પણ બપોર બાદ ફરી એકવાર બરફ પડવા લાગ્યો હતો.

રાજ્યભરમાં અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યારેય વાદળછાયુ વાતાવરણ હોય તો ક્યારેક વહેલી સવારે ઠંડી પડતી હોય. તેવામાં છેલ્લા ૧૧ વર્ષમાં એપ્રિલ મહિનામાં જે પ્રમાણે તાપમાન નોંધાયું છે એને જાેતા શનિવારનો દિવસ સૌથી ઠંડો રહ્યો હતો. શનિવારની સવારે ઠંડીનો માહોલ જાેવા મળ્યો હતો.

જ્યારે બપોર સુધીમાં વાદળછાયુ વાતાવરણ જાેવા મળ્યું હતું. તો ક્યારેક ક્યારેક ભારે તડકો જાેવા મળતા ઉનાળીની ઋતુ અનુભવાઈ હતી. તેથી આમ જાેવા જઈએ તો એવરેજ આખો દિવસ ઠંડોગાર રહ્યો હતો. ૈંસ્ડ્ઢના આંકડાઓ પર નજર કરીએ તો ૧૯૬૦થી અત્યારસુધી ૯મી વાર સૌથી ઓછું તાપમાન નોંધાયું છે.

વળી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીં ઘણા વિસ્તારોમાં વરસાદ પણ ખાબક્યો હતો. અમદાવાદનું સામાન્ય તાપમાન પણ ૨.૫ ડિગ્રી ઓછું જાેવા મળ્યું હતું. એટલે કે રેગ્યુલર દિવસ કરતા ઓછુ અનુભવાયું હતું.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers