Western Times News

Gujarati News

યુદ્ધમાં માર્યા ગયા રશિયાના ૨૦ હજાર સૈનિક, ૮૦ હજારથી વધુ ઘાયલ

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૪ મહિનાથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બંને દેશોને ઘણું નુકસાન થયું છે. દરમિયાન, એક અમેરિકન અધિકારીએ સોમવાર (૧ મે) ના રોજ જણાવ્યું હતું કે પૂર્વી યુક્રેનમાં છેલ્લા ૫ મહિનાથી ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ૨૦,૦૦૦ થી વધુ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.

આ સિવાય ૮૦ હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ પત્રકારોને જણાવ્યું કે અમારું અનુમાન છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન ૨૦,૦૦૦ થી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા છે અને ૮૦,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્હોન કિર્બીએ કહ્યું હતું કે ડોનબાસમાં રશિયાનું આક્રમણ સફળ રહ્યું નથી. વાસ્તવમાં રશિયા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કોઈપણ યુક્રેનિયન પ્રદેશને કબજે કરવામાં અસમર્થ રહ્યું છે.

કિર્બીએ તાજેતરમાં ક્લાસીફાઇડ યુએસની ગુપ્ત જાણકારીને ટાંકીને જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકોમાંથી અડધાથી વધુની ભરતી ખાનગી લશ્કરી કંપની વેગનર દ્વારા કરવામાં આવી હતી, જે રશિયામાં જેલની ભીડ પછી લોકોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે. યુએસ ડેટા અનુસાર, બખ્મુતની લડાઈમાં બંને દેશોને સૌથી વધુ નુકસાન થયું છે, જ્યાં રશિયાએ શહેરના એક નાના ભાગને છોડીને તમામ વિસ્તારોમાંથી યુક્રેનિયન સૈનિકોને ભગાડી દીધા છે.

ડિસેમ્બરની શરૂઆતથી જ આ વિસ્તારમાં લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્હોન કિર્બીએ કહ્યું કે ખાસ કરીને બખ્મુતમાં કબજાે કરવાનો રશિયાએ સૌથી વધુ વખત પ્રયાસ કર્યો છે. રશિયાએ અહીં તેના ઘણા સૈનિકો ગુમાવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાને બખ્મુતમાં જ સૌથી વધુ અને ભયંકર નુકસાન થયું છે. જાે કે, અમેરિકાએ યુક્રેનિયન સૈનિકોના મૃત્યુની માહિતી શેર કરી નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.