Western Times News

Gujarati News

ભાલોદના નર્મદા કિનારે ગંગા દશાહરા મહોત્સવની ઉજવણી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે માં નર્મદા નદી તટે પારંપરીક રીતે જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુઘી દસ દીવસ ગંગા દશાહરા પ્રર્વની રંગેચંગે ઉજવણી કરાય છે.જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીમાં ગંગા નર્મદા નદી સ્નાન કરવામાં આવતા હોય છે આ સમયે નર્મદા સ્નાનનુ વિષેશ મહત્વ હોય છે.

સાથે નર્મદા સ્નાન કરવાથી સર્વ પાપ નાશ થાય છે.આ દિવસો દ્રારા શ્રઘ્ઘાળુઓ નર્મદા નદી સાથે ગંગા મૈયાનુ પૂજન આરતી દર્શન સ્નાન કરવા નર્મદાના તમામ ઘાટો પર સ્નાન કરવા ઉમટી પડે છે.ભાલોદ ગામે ગંગાદશાહરા મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જેમા મોટી સંખ્યામા ભાલોદ ગામ તેમજ દુર ના શહેરમાં વસતા લોકો મોટી સંખ્યામાં ભાલોદ ગામે આવતા ગામ શ્રઘ્ઘાળુઓથી છલકાય ગયુ હતુ.ગંગા દશાહરા મોહોત્સવના ઉજવણીના ભાગરૂપે ભાલોદ ગામે બે દિવસ ના કાર્યકમો યોજાયા હતા

જેમા તા- ૨૭-૫-૨૦૨૩ ને શનીવારના રોજ મેઈન બજારમા આવેલા મહાકાળી માતાના મંદીરે થી બપોરના ૪ કલાકે નર્મદા માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.જેમા મોટી સંખ્યા મા બ્રહ્મસમાજના તેમજ ગામના સ્થાનિક લોકો જાેડાયા હતા જે ગામ ફરી નર્મદા નદી કિનારે સપંન્ન થઈ હતી.

તેમજ નદી કિનારે તાજેતરમા લગ્નન ગ્રથી જાેડાયેલા નવયુગલ દ્રારામાં નર્મદાનુ પૂજન તેમજ સમૂહમા મહાઆરતી કરવામા આવી હતી સાથે એક કિનારે થી સામે કિનારે ચુંદડી અર્પન કરવામા આવી હતી.બીજા દિવસે સવારે ૧૦ કલાકે બ્રહ્મસમાજની વાડીમા સ્નેહ મિલનનો કાર્યક્મ રખખવામા આવ્યો હતો.

બે દિવસના કાર્યક્મમા ગુજરાતના વિવિઘ શહેર માંથી બ્રહ્મસામાજના લોકો તેમજ ભાલોદ ગામના વતનીઓ જે ઘંઘા રોજગાર માટે બહારગામ ગયેલા લોકો પણ ભાલોદ ગામે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્મને સફળ બનાવવા માટે ગંગા દશાહરા સમીતી તેમજ ગામના સ્થાનીક ઉત્સાહી કાર્યકરો બે દિવસના કાર્યક્મ ને અથાગ મહેનત કરી આ પ્રસંગને સફળ બન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.