Western Times News

Gujarati News

દુઃખના સમયે આલિયા ભટ્ટને મળ્યો શાહરૂખ ખાનનો સાથ

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના નાના નરેન્દ્રનાથ રાઝદાનનું ગુરૂવારે ૯૫ વર્ષની વયે નિધન થયું છે. સોની રાઝદાનના પિતાને હજી થોડા દિવસ પહેલાં જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આલિયા ભટ્ટે નાનાને યાદ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ મુકી છે.

સાથે જ તેણે નાના સાથેની યાદો અંગે જણાવ્યું હતું. આવા કપરા સમયે આલિયાના ઘરે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ પહોંચ્યો હતો. આલિયા ભટ્ટે નાના નરેન્દ્રનાથ રાઝદાનના ૯૨મા જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર પણ જાેવા મળી રહ્યો છે, જે કેકમાં મીણબત્તી લગાવી રહ્યો છે.

ત્યારે આ વીડિયોમાં આલિયા નાનાને કહે છે કે, તમે આ પ્રસંગે કયો સુંદર શબ્દ કહેવા માગો છો. તેઓ કહે છે કે, તમે હંમેશા હસતા રહો. આલિયા ભટ્ટે નાનાને યાદ કરતા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી કે, મારા નાના મારા હીરો હતો. તેઓ ૯૩ વર્ષની વયે પણ ગોલ્ફ રમતા હતા. આ ઉંમરમાં પણ કામ કરતા હતા.

એટલું જ નહીં, તેઓ ઘણું સારું વાયોલિન વગાડતા હતા. તેમણે પોતાની પરપૌત્રી માટે પણ વાયોલિન વગાડ્યું હતું. તેઓ ક્રિકેટ અને પોતાના પરિવારથી ખૂબ પ્રેમ કરતા હતા. મારા મનમાં ઘણું બધું આવી રહ્યું છે, પરંતુ તેમની યાદ ઘણી સારી છે. હું નસીબદાર છું કે, તેઓ મારા નાના હતા.

આલિયા ભટ્ટના નાનાના નિધનના સમાચાર સામે આવતાં જ આર્યન ખાન આલિયા ભટ્ટના ઘરે પહોંચ્યો હતો. તે દરમિયાન તેણે બ્લેક શર્ટ પહેર્યો હતો. આપને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ વચ્ચે સારી મિત્રતા છે. બંનેએ સાથે ડિયર જિંદગીમાં કામ પણ કર્યું છે. જ્યારે આલિયા ભટ્ટના લગ્ન થયા હતા. ત્યારે પણ શાહરૂખ ખાન પહોંચ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.