Western Times News

Gujarati News

આ ઈવેન્ટને કારણે સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ) વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત

ફાઈલ

સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ), અમદાવાદ શહેર ખાતે ‘World Bicycle Day’ નિમિત્તે Cycle 2 Work ઈવેન્ટ અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

અમદાવાદ શહેરમાં આવતીકાલ તા.૩/૬/૨૦૨૩ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પશ્વિમ ખાતે ‘World Bicycle Day’ નિમિત્તે Cycle 2 Work ઈવેન્ટનું આયોજન કરવામાં આવનાર હોય જે ઇવેન્ટ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે

હું, પ્રેમ વીર સિંહ, IPS, ઇ/ચા, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, મને મળેલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ ૩૩ (૧) (બી) (સી)ની સત્તા અન્વયે આવતીકાલ તા.૩/૬/૨૦૨૩ના રોજ “સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ’ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ (પશ્ચિમ), અમદાવાદ શહેર ખાતે ‘World Bicycle Day’ નિમિત્તે Cycle 2 Work ઇવેન્ટનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતી જનમેદની વચ્ચે વાહનોની અવર-જવર અને ટ્રાફીક પ્રવાહ સરળતાથી પસાર થાય તેમજ માર્ગ અકસ્માતો બનતા નિવારવા માટે નીચે મુજબનો હુકમ કરૂ છું.

વાહનોની અવરજવર માટે પ્રતિબંધિત માર્ગ ની વિગત :

રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર મેઇન ગેટથી સરદારબ્રિજ નીચે રિવરફ્રન્ટ થઇ આંબેડકરબ્રિજ નીચે રિવરફ્રન્ટ સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશો.

વૈકલ્પિક માર્ગની વિગત : 

રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર મેઇન ગેટ સામેથી જમણી બાજુ વળી એ એન્ડ એ બંગલો થી જમણી બાજુ વળી કાપડીયા ગેસ્ટ હાઉસથી ડાબી બાજુ વળી આશ્રમ રોડનો વાહનોની અવર-જવર માટે ઉપયોગ કરી શકાશે.

આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઇ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા. ૦૩/૦૬/૨૦૨૩ના સવારના કલાક ૦૬.૦૦થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે.

આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં સંયુક્ત / અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ઇ.પી.કો. કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ- ૧૩૧ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.