Western Times News

Gujarati News

એવું તે શું થયું કે યુવક પોલિસ મથકમાં જ કેરોસીન છાંટી સળગી ગયો

પ્રતિકાત્મક

ભાવનગરના વતરેજ પોલીસ મથકમાં સળગી જનાર નારી ગામના યુવકનંુ મૃત્યુ

ભાવનગર, ભાવનગરના નારી ગામમાં રહેતા યુવાને પત્નિના ત્રાસથી કંટાળી જઈ વરતેજ પોલીસ સ્ટેશનમાં જાતે સળગ્યો હતો તેનું તે દરમિયાન મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકનો મોટાભાઈએ તેની પત્ની વિરુદ્ધ નાનાભાઈને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

નારી ગામમાં રહેતા યુવાન જીતેશભાઈ પ્રફુલ્લભાઈ રાઠોડ (ઉ.વ.૩પ)એ ગત તા.૧૦/૬ના રોજ મોડી રાત્રીના વરતેજ પોલીસ મથક બહાર શરીર ઉપર કેરોસીન છાંટી પોલીસ મથકમાં જઈને શરીરે કાંડી ચાંપી દેતા વરતેજ પોલીસે દોડી જઈ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો અને યુવકને સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડયો હતો જયાં જીતેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ શૈલેષભાઈ પ્રફુલ્લભાઈ રાઠોડે મૃતકના પત્નિ મિતલબેન જીતેશભાઈ રાઠોડ રહે. હાલ સુરત વિરુદ્ધ પોતાના નાના ભાઈની સાથે અવારનવાર ખોટી રીતે ઝઘડો કરી બાળકો સાથે એના પિયર રહેવા જતા રહેલ તેમજ જીતેશભાઈને તેમના બાળકો સાથે ફોન પર વાત પણ કરવા નહી દઈ ત્રાસ આપતા ભાઈ મરવા મજબુર બની પોતાની જાતે સળગી જઈ આત્મહત્યા કરી લીધી હતી. વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.