Western Times News

Gujarati News

મહેસાણા જિલ્લામાં પ૧ રેવન્યૂ તલાટીઓની સાગમટે બદલી

મહેસાણા, મહેસાણા જિલ્લામાં વિવિધ એક જ સેજાઓ તેમજ કચેરીઓમાં સતત ચાર વર્ષથી ફરજ બજાવતા મહેસૂલી તલાટીઓની રાજયના મહેસૂલ વિભાગની સુચનાથી સાગમટે બદલીઓ કરવામાં આવી છે. જિલ્લાની પ૧ પૈકી ૧૦ તલાટીઓની સ્વ વિનંતીથી બદલી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર નાયબ મામલતદાર તેમજ કારકુનોની પણ બદલીઓ કરી વિભાગને અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો.

આ અંગે વધુ વિગત જાેવામાં આવે તો મહેસાણા જિલ્લામાં મહેસૂલ વિભાગ હસ્તકના જે કર્મચારીઓ છેલ્લા ચાર વર્ષથી સતત કોઈ એક જ જગ્યાએ કે કચેરીમાં ફરજ બજાવતા હોય તેમની તાત્કાલિક અસરથી જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર બદલી કરવા ઉચ્ચકક્ષાએથી આદેશ કરાયો હતો.

જેના પગલે નાયબ મામલતદાર અને કારકુનો બાદ આજે જિલ્લાના વિવિધ સેજાઓ પર ફરજ બજાવતા ૪૧ મહેસૂલી તલાટીઓની બદલી કરવામાં આવી હતી. જયારે વધુમાં ૧૦ મહેસૂલી તલાટીઓની સ્વ વિનંતીને ધ્યાને બદલીઓ કરાઈ છે.

ઉપરોક્ત બદલીના હુકમમાં તાલુકાવાર મહેસાણાના ૧૬, ઉંઝાના ૦૪, વિસનગરના ૦૧, વડનગરના ૦૪, વિજાપુરના ૦૪, કડીના ૧૧, જાેટાણાના ૦પ, ખેરાલુના ૦૩, બેચરાજીના ૦ર તેમજ સતલાસણાના ૦૧ મહેસુલી તલાટીઓનો સમાવેશ થાય છે. ઉપરોકત બદલી અને નિમણૂકના હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવા સંબંધિત કચેરીના વડાઓને સૂચના આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.