Western Times News

Gujarati News

હાઇવે પર બે એસ.ટી બસ ટકરાતા બે ડ્રાઈવરો સહિત રપ ને ગંભીર ઈજા

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) ઝાલોદ તાલુકાના વેલપુરા હાઇવે પર  સવારના ૬ઃ૦૦ વાગ્યાના અરસામાં વેલપુરા ગામે બે એસ.ટી બસો વચ્ચે અકસ્માત સર્જાતા બંને એસ.ટી ચાલકો ગંભીર રીતે ઘાયલ થયેલા છે.

જ્યારે ૨૫ થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.ઇજાગ્રસ્તોને સુખસર,ઝાલોદ સહિત દાહોદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ સવારના છ કલાકના અરસામા ભાભર થી ઝાલોદ જઈ રહેલ એસ.ટી બસ નંબર જીજે-૧૮. ઝેડ-૬૫૬૩ તથા સુરત થી ઝાલોદ થઈ ફતેપુરા જતી એસ.ટી બસ નંબર- જીજે.૧૮ ઝેડ-૭૩ ૮૪ ને વેલપુરા ગામે ઢાળ ઉતરતા વળાંકમાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં એસ.ટી બસના બંને ચાલકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. જ્યારે એસ.ટીમાં મુસાફરી કરી રહેલા ૨૫ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું પણ જાણવા મળે છે.તમામ ઇજાગ્રસ્તોને સુખસર, ઝાલોદ ખાતે જ્યારે ગંભીર ઇજાગ્રસ્તો ને દાહોદ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

અકસ્માત સ્થળે હાજર લોકોમાં થતી ચર્ચા મુજબ સુરત થી ફતેપુરા તરફ જતી એસ.ટી બસના ચાલકની ગફલતના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા સાંભળવા મળી હતી.અકસ્માતની જાણ ઝાલોદ પોલીસને થતા ઝાલોદ વિભાગ ડી.વાય.એસ.પી પટેલ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માત સંબંધે પોલીસે આગળની કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા હોવાનું પણ જાણવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.