Western Times News

Gujarati News

Iskon Bridge: તથ્યના 3 દિવસના રિમાન્ડ: પ્રજ્ઞેશને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

અમદાવાદ, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી ૯ લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલને અમદાવાદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ રૂમમાં પણ જવાની જગ્યા ન હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો. કોર્ટ પરિસરમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગાડીની ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા લોકો હવામાં 25 ફૂટ ફંગોળાયા

 

પોલીસ કોરિડોર બનાવીને આરોપી તથ્ય પટેલને કોર્ટ પરિસરના આઠમા માળે હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં પબ્લિક પ્રોસિક્યુટર અને બચાવ પક્ષ વચ્ચે પોણો કલાક દલીલો ચાલી હતી. અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય) કોર્ટે આરોપી તથ્ય પટેલના સોમવારે દિવસના ૪ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સરકારી વકીલ પી.એમ. ત્રિવેદીએ ૫ દિવસના રિમાન્ડ માગ્યા હતા. એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. બાવીસીની કોર્ટમાં આરોપીને રજૂ કરાયો હતો. દરમિયાન કોર્ટ પરિસરમાં લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયો હતો,

જ્યાં સરકારી વકીલે આરોપીના ૫ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરી હતી કે તપાસ માટે પૂરતો સમય મળ્યો નથી. ગાડીમાં ઉપસ્થિત લોકોની પણ તપાસની જરૂર છે. આ આરોપીના મોબાઈલ ફોનની પણ તપાસ જરૂરી છે. આરોપી પોલીસ-તપાસમાં સહકાર નથી આપતો. આરોપી મોડી રાતે કઇ રેસ્ટોરાંમાંથી આવ્યો એની પણ તપાસની જરૂર.

મૃતકના પરિવારનો આક્રોશ -આરોપીને ફાંસીને સજા થાય
અમદાવાદ, અમદાવાદના ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બોટાદના ૩ યુવાનોનાં મોત થયા છે. બોટાદના કૃણાલ રોનક અને અક્ષર નામના ૩ યુવાનોની અંતિમવિધિ બાદ તેમના પરિવારો પર દુખોનું પહાડ તુટી પડ્યું છે. ત્યારે મૃતક અક્ષરના પરિવારજનોએ પણ સમગ્ર ઘટનાને લઇને રોષ વ્યક્ત કર્યો છે.

એમબીએ માટે ફોર્મ ભરવા અમદાવાદ ગયેલા અક્ષરને પળવારમાં હત્યારા તથ્યની કારે ફંગોળતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પરિવારે સરકાર પર રોષ ઠાલવતાં એમ પણ કહ્યું કે, સહાયથી તેમનો પુત્ર પાછો આવનાર નથી. જાે તે પાછો આવી જાય તો અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ.

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ અનેક કેસમાં ફસાયેલા છે

 

ત્યારે અક્ષરના પરિવારજનોએ દીકરા સામે દીકરાના જીવની માગ કરી છે. પરિવારજનોએ સરકાર સામે ન્યાય આપવાની વાત કરી છે. તો હત્યારા તથ્ય માટે ફાંસીની સજાથી કાંઇ પણ ઓછું મંજૂર નથી તેવો રોષ પણ વ્યક્ત કર્યો છે. મૃતક અક્ષરના માતા પિતા અને પરિવારના સભ્યો હૈયા ફાટ રુદન કરતા આક્રોશ ઠાલવ્યો હતો કે, લાખો રૂપિયાને શુ કરવાં છે અમે સરકારને કહીએ છીએ અમારો લાડકવાયો અમને આપો અમે સરકારને રૂપિયા આપીશું. –


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.