Western Times News

Gujarati News

ગોધરામાં મુશળધાર વરસાદના કારણે સોસાયટીની પ્રોટેકશન દિવાલ ધરાશાયી

ગોધરા,  ગોધરા શહેરના બામરોલી રોડ પર અંતરિયાળ ટેકરા પર આવેલા અરિહંત નગરમાં પ્રવેશવા બનાવેલા ગરનાળા પર પાલિકાએ પ્રિમોનસુન કામગીરી નહીં કરવાને પગલે બે દિવસ પડેલા મુશળધાર વરસાદના કારણે મસમોટી માટીની
ઘસ પડતા રહીશોમાં પોતાના મકાનો જમીનદોસ્ત થવાનો ભય સતાવી રહ્યો છે પાલિકાએ ગરનાળુ સાફ નહિ કરતા આ ઘસ તૂટી પડી હોવાનું અરિહંત નગર ના રહીશો નું કહેવું છે

ગોધરાના બામરોલી રોડ પર ગીતાનગર થી થઈ ને અરિહંત નગર કે જે ટેકરા પર આવેલું હોવાથી વચ્ચે પાલિકા દ્વારા ગરનાળુ બનાવવામાં આવ્યું છે જે ગરનાળા પરથી અરિહંત નગર ના રહીશો તેમની સોસાયટી માં અવર- જવર કરતા હોય છે

ગોધરામાં બે દિવસ અગાઉ સંધ્યાકાળે પડેલા અતિભારે વરસાદ ના કારણે ટેકરા પરથી એકાએક ઘસ તૂટી પડતાં સંરક્ષણ દિવાલ તથા ઝાડો તૂટી ગરનાળા નજીક ગરકાવ થતા નજીક માં રહેતા રહીશો ને પોતાના મકાનનો પાયો તૂટવાની સાથે મકાન જમીનદોસ્ત થવાનો ડર સતાવી રહ્યો છે

અરિહંત નગર ના રહીશો ના જણાવ્યા મુજબ ગોધરા નગર પાલિકા દ્વારા આ વર્ષે ગરનાળાની  પ્રિ-મોન્સુન ની કામગીરી નહિ કરતા પાણીનો નિકાલ જોઈએ તેટલી ઝડપ થી નહિ થતા પાણી ભરાવાના કારણે એકાએક ઘસ તૂટી પડતાં આ બનાવ બન્યો છે

આ ઘટના ને બબ્બે દિવસ વિતવા આવ્યા છતાંય બનાવની ગંભીરતા ને ધ્યાને નહિ લઈ પાલિકા દ્વારા કોઈપણ કાર્યવાહી નહી કરતા રહીશોમાં આ વિસ્તારના ચૂંટાયેલા પાલિકા સભ્યો પર ઉગ્ર રોષ જોવાઈ રહ્યો છે રહીશોના કહેવા મુજબ જો સમયસર ગરનાળા ની સાફસફાઈ કરી પાણીનો નિકાલ કર્યો હોત તો આ ઘટના બનતી અટકી જતી અને મકાનો જમીનદોસ્ત થવાની અમોને ભીતિ ના રહેતી. તસ્વીર:- મનોજ મારવાડી, ગોધરા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.