Western Times News

Gujarati News

સ્વતંત્રતા દિવસે દરેક ઘર પર ત્રિરંગો ફરકાવવોઃ PM મોદી

પ્રતિકાત્મક

મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને ડ્રગ્સ, કુદરતી આપદા, વિદેશી નાગરિકની અમરનાથ યાત્રા સહિતનાં મુદ્દે છણાવટ કરી

(એજન્સી)નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખાસ કાર્યક્રમ મન કી બાતમાં રાજકોટ ચમક્યું. ઉલ્લેખનીય છેકે, અવારનવાર મનકી બાત કાર્યક્રમમાં ગુજરાતના કોઈકને કોઈક શહેર કે જિલ્લાની કોઈને કોઈક વ્યક્તિ જરૂર ચમકતી આવી છે.

પ્રધાનમંત્રી પોતાના ગૃહરાજ્યમાંથી સારી કામગીરી કરનાર કોઈકને કોઈક અનોખી વ્યક્તિને શોધીને તેની સાથે જરૂર વાતચીત કરી છે. આ વખતના એપિસોડમાં આવી અનેરી તક રાજકોટને મળી. અને રોજકોટના એક ચિત્રકારને મળી. વડાપ્રધાન મોદીએ મનકી બાત કાર્યક્રમમાં રાજકોટના એક ચિત્રકારના ભરપેટ વખાણ કર્યા. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તેના ચિત્રનો ઉલ્લેખ કર્યો. આ ચિત્રકારનું નામ છે, પ્રભાતસિંહ બારહટે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ખુશી છે કે આ દિવસોમાં ઉજ્જૈનમાં એક સરસ પ્રયાસ ચાલી રહ્યો છે. અહીં દેશભરના ૧૮ ચિત્રકારો પુરાણો પર આધારિત આકર્ષક ચિત્રો બનાવી રહ્યા છે. આ ચિત્રો બુંદી શૈલી, નાથદ્વારા શૈલી, પહાડી શૈલી અને અપભ્રંશ શૈલી જેવી ઘણી વિશિષ્ટ શૈલીમાં બનાવવામાં આવશે.

આને ઉજ્જૈનના ત્રિવેણી મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે એટલે કે થોડા સમય પછી, જ્યારે તમે ઉજ્જૈન જશો, ત્યારે તમે મહાકાલ મહાલોકની સાથે અન્ય દિવ્ય સ્થાનના દર્શન કરી શકશો. મિત્રો, ઉજ્જૈનમાં બનેલા આ પેઈન્ટિંગ્સ વિશે વાત કરતી વખતે મને બીજી એક અનોખી પેઈન્ટિંગ યાદ આવી ગઈ.

આ પેઈન્ટીંગ રાજકોટના કલાકાર પ્રભાતસિંહ મોડભાઈ બારહતે એ બનાવ્યું છે. આ પેઇન્ટિંગ છત્રપતિ વીર શિવાજી મહારાજના જીવનની એક ઘટના પર આધારિત હતી. કલાકાર પ્રભાતે બતાવ્યું હતું કે રાજ્યાભિષેક પછી છત્રપતિ શિવાજી મહારાજ તેમની કુળદેવી ‘તુલજા માતા’ના દર્શન કરવા જઈ રહ્યા છે, તો તે સમયે કેવું વાતાવરણ હતું. આ એક ઉત્તમ ચિત્ર હતું.

આ ઉપરાંત પીએમ મોદીએ પોતાના મનકી બાત કાર્યક્રમમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. ખાસ કરીને વડાપ્રધઆન મોદીએ મન કી બાતમાં પૂરનો ઉલ્લેખ કર્યો, બચાવ કાર્યમાં લાગેલા એનડીઆરએફની પ્રશંસા કરી. પીએમ નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યું કે આપત્તિનો સામનો કરવામાં આપણી શક્તિ અને સંસાધનોની સાથે સાથે એકબીજાનો હાથ પકડવાની લાગણી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

મન કી બાતનો આજે ૧૦૩મો એપિસોડ હતો. જેમાં પીએમ મોદીએ જણાવ્યુંકે, જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો, વરસાદનો મહિનો, છેલ્લા કેટલાક દિવસો કુદરતી આફતોના કારણે ચિંતાઓ અને પરેશાનીઓથી ભરેલા રહ્યા છે. પરંતુ મિત્રો, આ આફતો વચ્ચે આપણે બધા દેશવાસીઓએ ફરી એકવાર સામૂહિક પ્રયાસની શક્તિ બતાવી છે. સ્થાનિક લોકો, આપણા એનડીઆરએફ જવાનો, સ્થાનિક વહીવટીતંત્રના લોકોએ આવી આફતો સામે રાત-દિવસ લડત આપી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોઈપણ આપત્તિનો સામનો કરવામાં આપણી શક્તિ અને સંસાધનો મોટી ભૂમિકા ભજવે છે, પરંતુ તેની સાથે સાથે આપણી સંવેદનશીલતા અને એકબીજાનો હાથ પકડીને હાથ પકડવાની ભાવના પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

સૌના કલ્યાણની આ ભાવના જ ભારતની ઓળખ છે અને ભારતની તાકાત પણ છે. મિત્રો, વરસાદનો આ સમય ‘વૃક્ષો વાવણી’ અને ‘જળ સંરક્ષણ’ માટે પણ એટલો જ મહત્વનો છે. આઝાદીના ‘અમૃત મહોત્સવ’ દરમિયાન બનેલા ૬૦ હજારથી વધુ અમૃત સરોવરની ચમક પણ વધી છે. અત્યારે ૫૦ હજારથી વધુ અમૃત તળાવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ અને જવાબદારી સાથે ‘જળ સંરક્ષણ’ માટે નવા પ્રયાસો કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.