Western Times News

Gujarati News

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Files Photo

નવી દિલ્હી, નિકોબાર ટાપુઓમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા ભૂકંપની માહિતી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, સવારે ૫.૪૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૦ નોંધવામાં આવી છે. સારી વાત એ છે કે ભૂકંપના કારણે કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર હજુ સામે આવ્યા નથી. તમને જણાવી દઈએ કે, શુક્રવારે આંદામાન ટાપુઓ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૫.૮ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે મોડી રાત્રે લગભગ ૧૨.૫૩ વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી ૬૯ કિલોમીટર ઊંડે હતું. આનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે પૃથ્વીની રચનાને સમજવી પડશે.

આખી પૃથ્વી ૧૨ ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. લાવા આ ટેકટોનિક પ્લેટો હેઠળ રહેલો છે. આ લાવા પર આ ૧૨ પ્લેટો તરતી રહી છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા નીકળે છે તેને ભૂકંપ કહેવામાં આવે છે. એ પણ સમજી શકાય છે કે, પૃથ્વીનું સૌથી બહારનું સ્તર જે ૧૨ પ્લેટોમાં વહેંચાયેલું છે.

આ પ્લેટો સતત બદલાતી રહે છે. કેટલીકવાર આ પ્લેટો સ્થળાંતર કરતી વખતે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે જમીન પણ સરકી જાય છે.

કરોડો વર્ષો પહેલા ભારત એશિયાની નજીક નહોતુ. પરંતુ જમીન પર આવતા ભૂકંપના કારણે ભારત દર વર્ષે લગભગ ૪૭ મીમી આગળ વધીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યું છે. લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એક અથડામણ એટલી જબરદસ્ત હતી કે આખે આખા હિમાલયની રચના થઈ ગઈ.

એક સમયે ભારત એક મોટો ટાપુ હતો. ૬,૦૦૦ કિલોમીટરથી વધુ સમય સુધી દરિયામાં તરતો આ ટાપુ યુરેશિયા ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો અને હિમાલયની રચના થઈ.

હિમાલય એ વિશ્વની સૌથી નાના ઉંમરની પર્વતમાળા છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે હિમાલયના પ્રદેશો ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ બની રહ્યા છે. આ કારણે બંને પ્લેટો સતત એકબીજા પર દબાણ કરી રહી છે, જેના કારણે પ્રદેશમાં અસ્થિરતા છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે હિમાલયની ધરતીની પ્લેટો સ્થિર કેમ નથી થઈ રહી? તેનો જવાબ જાણવા માટે ‘અંડરવર્લ્ડ કોડ’ નામના સોફ્ટવેર દ્વારા કરોડો વર્ષ પહેલા થયેલી અથડામણને સમજવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે.

સિસ્મોગ્રાફ્સનો ઉપયોગ ભૂકંપની તીવ્રતા અને સમયગાળો માપવા માટે થાય છે. સિસ્મોગ્રામ દ્વારા પૃથ્વીની હિલચાલનો ગ્રાફ બનાવવામાં આવે છે. ધરતીકંપનું કેન્દ્ર એ સ્થાન છે જ્યાં તેની નીચે પ્લેટોમાં હલનચલન થાય છે. જેને હાઇપોસેન્ટર કહેવામાં આવે છે. આ તે છે જ્યાં મહત્તમ કંપન પણ થાય છે. જેમ જેમ કંપનની આવર્તન દૂર થાય છે તેમ તેમ તેની અસર ઘટતી જાય છે.

જાે રિએક્ટર સ્કેલ પર ૭ કે તેથી વધુની આવર્તન સાથે ધરતીકંપ આવે છે તો આસપાસના ૪૦ કિમી ત્રિજ્યામાં તીવ્ર આંચકા અનુભવાય છે. જાે ધરતીકંપની આવર્તન ઉપરની બાજુએ હોય તો ઓછા વિસ્તારો ભૂકંપથી પ્રભાવિત થાય છે, જ્યારે જાે આ આવર્તન નીચેની બાજુએ હોય, તો મોટા વિસ્તાર ભૂકંપથી પ્રભાવિત થાય છે.

ભૂકંપની તીવ્રતા સંખ્યા દ્વારા માપવામાં આવે છે. જેમ જેમ આ સંખ્યા વધે છે તેમ તેમ ભૂકંપમાંથી મુક્ત થતી ઉર્જા પણ વધે છે. જાે ધરતીકંપની તીવ્રતા ૧ પોઈન્ટ વધી જાય તો તેમાંથી નીકળતી ઉર્જા ૩૨ ગણી વધી જાય છે. ઉદાહરણ તરીકે ૫ની તીવ્રતાનો ધરતીકંપ ૪ની તીવ્રતાના ધરતીકંપ કરતાં ૩૨ ગણી વધુ ઊર્જા છોડે છે.

આ રીતે તે આગળ વધે છે અને તેનાથી ઉદ્ભવતા જાેખમ પણ. વૈજ્ઞાનિકોએ ભારતમાં ૮ કે તેથી વધુની તીવ્રતા ધરાવતો ભૂકંપ હોવાની વાત કરી છે. ૮ની તીવ્રતાનો ધરતીકંપ ૭ની તીવ્રતાના ધરતીકંપ કરતાં ૧,૦૦૦ ગણી વધુ ઉર્જા છોડે છે.

૮ની તીવ્રતા સાથેનો ભૂકંપ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. તેનો ભોગ ખૂબ મોટો વિસ્તાર છે અને તે લાંબા સમય સુધી અનુભવાય છે. આ ભૂકંપથી ઈમારતો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ જાય છે. આ ભૂકંપના આંચકાથી સ્તંભો, દિવાલો અને ભારે ફર્નિચર પડી જાય છે. ૮ કે તેથી વધુની તીવ્રતાના ધરતીકંપ વર્ષમાં એકવાર આવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.