Western Times News

Gujarati News

વડાપ્રધાન બેંગ્લોર જઈને ISRO ખાતે પ્રજ્ઞાન રોવરની માહિતી મેળવશે તેવી શક્યતા?

પ્રજ્ઞાન રોવરના “મૂન વોક”સાથે ચાંદ પરના સંશોધનનો પ્રારંભ-પ્રજ્ઞાન રોવર 14 દિવસ સુધી ચંદ્ર પર ચાલશે

નવી દિલ્હી, ચાંદના દક્ષિણ ભાગમાં ભારતીય અવકાશી સંસ્થા ઈસરોનાં ચંદ્રયાન-૩એ બુધવાર સફળતાપૂર્વક લેન્ડિંક કર્યા બાદ ગુરુવારથી તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવી ગયું છે અને એ ૧૪ દિવસ સુધી ચંદ્રની સપાટી ઉપર ફરીને ઈસરો માટે મહત્ત્વપૂર્ણ વિગતો એકત્રિત કરશે.

ઈસરો દ્વારા આ સફળતા હાંસલ કર્યા બાદ હવે ભાવિ પ્રોજેક્ટોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જાે કે, તે પહેલાં ચંદ્રયાન-૩ પ્રોજેક્ટ પર હાલ તમામ વૈજ્ઞાનિકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. અને ૧૪ દિવસ ચાલનારી આ કામગીરી પર વિશ્વભરની નજર મંડાયેલી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બ્રિક્સની મીટીંગમાંથી પરત ફર્યા બાદ બેંગ્લોર જઈને ઈસરોના તમામ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવે તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં ઈસરો દ્વારા મહત્ત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે અને રોજ આ કામગીરીની મહત્ત્વપૂર્ણ બાબતો જાહેર કરવામાં આવી છે.

ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે ચંદ્રયાન ૩ મિશન હેઠળ મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડિંગ બાદ ઈસરોએ પ્રથમ તસવીર જાહેર કરી છે. લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો લીધી હતી. આ તસવીર લેન્ડિંગ સ્થળનો એક ભાગ છે અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો જાેઈ શકાય છે.

ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ થયું છે. સફળ ચંદ્ર મિશનએ ભારતને ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવા માટે યુએસ, ચીન અને અગાઉના સોવિયેત યુનિયન પછી ચોથો દેશ બનાવ્યો છે. આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો છે.

હવે લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો કેપ્ચર કરી છે. આ તસવીરોમાં લેન્ડિંગ સ્થળનો એક ભાગ અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો જાેઈ શકાય છે. વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડ થયા બાદ ઈસરોએ પ્રથમ તસવીર જાહેર કરી છે. ઇમેજ લેન્ડિંગ કેમેરાએ આ તસવીર લીધી હતી અને તેને ઈસરોદ્વારા રિલીઝ કરવામાં આવી હતી.

તેને ચંદ્ર પર લેન્ડિંગ કરતી વખતે વિક્રમ લેન્ડર દ્વારા લેવામાં આવી હતી. આમાં ચંદ્રની તે ખરબચડી સપાટી દેખાય છે. જેના પર વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. રોવર પ્રજ્ઞાન સફળ લેન્ડિંગના થોડા કલાકો બાદ લેન્ડરમાંથી બહાર નીકળી ગયું હતું. પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરથી જ બહાર આવ્યું છે, જે આગામી ૧૪ દિવસ સુધી ચંદ્ર પર ચાલશે.

આ રોવર ચંદ્રની સપાટીનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઈવ પ્રસારણમાં મિશનની સફળતાને વિજય ગણાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતનું સફળ ચંદ્ર મિશન માત્ર ભારતનું નથી, પરંતુ આ સફળતા સમગ્ર માનવતાનું છે.

લેન્ડર વિક્રમ ગયા અઠવાડિયે તેના મોડ્યુલથી અલગ થઈ ગયું હતું અને ૫ ઓગસ્ટે ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદથી ચંદ્રની સપાટીની તસવીરો મોકલી રહ્યું છે. હવે જ્યારે વિક્રમ લેન્ડ થઈ ગયું છે, ત્યારે સૌર-સંચાલિત રોવર પ્રજ્ઞાન સપાટીનું અન્વેષણ કરશે અને ચંદ્ર પરનો ડેટા એકત્રિત કરશે.

ભારત તેના ઘણા મિશન ખૂબ ઓછા ખર્ચે ચલાવીને યુએસ અને રશિયા જેવી વૈશ્વિક અવકાશ શક્તિઓ દ્વારા નિર્ધારિત લક્ષ્યોને પાર કરી રહ્યું છે. ઈસરોસાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવ્યું છે અને તે હવે ચંદ્રની સપાટી પર ફરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈસરોની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એક્સ (ટિ્‌વટર) પરની તેમની પોસ્ટમાં કહ્યું હું ફરી એકવાર ઈસરોની ટીમ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. વિક્રમના લેન્ડિંગના થોડા કલાકો બાદ તેનું બહાર આવવું એ ચંદ્રયાન ૩ ના બીજા તબક્કાની સફળતા દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.