Western Times News

Gujarati News

મણિપુરમાં ફરી હિંસા ભડકીઃ 5 લોકોના મોત

(એજન્સી)નવી દિલ્હી, મણિપુરમાં હિંસા અટકી રહી નથી. તાજેતરના ગોળીબારમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે સમુદાયો વચ્ચે સતત ગોળીબાર બાદ છેલ્લા ૭૨ કલાકમાં મણિપુરના બિષ્ણુપુર અને ચુરાચંદપુર જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા.

આ દરમિયાન ૧૮ ઘાયલ થયા છે. અધિકારીએ જણાવ્યું કે, બિષ્ણુપુર જિલ્લાના ખોઈરંતકની તળેટીમાં અને ચુરાચંદપુર જિલ્લાના ચિંગફેઈ અને ખૌસાબુંગ વિસ્તારોમાં ગોળીબાર ચાલી રહ્યો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, અધિકારીએ જણાવ્યું કે હિંસા મંગળવારના રોજ શરૂ થઈ હતી

જ્યારે ખોઇરેંટક વિસ્તારમાં ભારે ગોળીબાર બાદ આશરે ૩૦ વર્ષની વયના એક ગામ સ્વયંસેવકનું મોત થયું હતું. તેમણે જણાવ્યું કે બુધવાર સાંજથી થોડા કલાકોની શાંતિ બાદ ગુરુવારે સવારે ફરીથી બે જૂથો વચ્ચે ગોળીબાર શરૂ થયો. અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારની હિંસામાં ઘાયલ એક વ્યક્તિનું મિઝોરમ થઈને ગુવાહાટી જતી વખતે મૃત્યુ થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.