Western Times News

Gujarati News

કપડા સૂકવવા જતા વીજ કરંટ લાગતા દેરાણી-જેઠાણીના મોત

amarujala.com

(એજન્સી)ખેડા, ખેડા વિસ્તારમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત થયા છે. ઘોઘાવાડા તાબે રઘનાથપુરામાં આ દુર્ઘટના ઘટી છે. ટેરેસ પર કપડા સૂકવવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો.

વિસ્તારમાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કઠલાલ તાલુકામાં કરંટ લાગતા બે મહિલાના મોત થયા છે. ઘોઘાવાડા તાબે રઘનાથપુરામાં આ દુર્ઘટના ઘટી છે. ટેરેસ પર કપડા સૂકવવા જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા બંને મહિલાઓને હોસ્પિટલે ખસેડાઈ હતી.

જાે કે, હોસ્પિટલમાં બંને મહિલાઓને તબીબ દ્વારા મૃત જાહેર કરાઈ હતી. એક મૃતક મહિલાનું નામ સુધાબેન દિલીપભાઈ ભોઈ હતું જેની ઉંમર ૩૮ વર્ષની હતી. જ્યારે બીજા મહિલાનું નામ સુરેખાબેન વિક્રમભાઈ ભોઈ હતું અને તેમની ઉંમર ૩૩ વર્ષની હતી.

સગપણમાં બંને મહિલા દેરાણી જેઠાણી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈ પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં બન્ને મૃતકોના મૃતદેહને પીએમ માટે કઠલાલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.