Western Times News

Gujarati News

મુન્દ્રા પોર્ટમાં એક દીવાદાંડીનું સપનું જોયેલુ, આજે અજાયબીનું પ્રમાણપત્ર ધારણ કરી દુનિયા સામે ઉભું છે: ગૌતમ અદાણી

મુન્દ્રા પોર્ટ તેના અસ્તિત્વના તેજતરાર કામકાજ અને અતુલ્ય વૃધ્ધિના ૨૫ વર્ષની ઉજવણી કરે છે

·         ૨૬૦ મિલીયન મેટ્રિક ટનથી વધુની ક્ષમતા સાથેનું વિશ્વના સૌથી મોટા પોર્ટ પૈકીનું એક બન્યું છેf

·         નાણાકીય વર્ષ ૨૩માં ૧૫૫ મિલીયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરીને ભારતના મેરીટાઇમ કાર્ગોમાં લગભગ ૧૧% યોગદાન આપ્યું.

·         ભારતના ૩૩ %કન્ટેનર ટ્રાફિકનું પોર્ટ મારફત સંચાલન થઇ રહયું છે ત્યારે કન્ટેનર ટ્રાફિકનો EXIM ગેટવે તરીકે ઉપસી આવ્યો

·         મુન્દ્રા પોર્ટની શરુઆતથી રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ.૨.૨૫ લાખ કરોડનું યોગદાન આપ્યું છે.

મુન્દ્રા, એક સીમાચિહ્નરૂપ તેજોમય સફરની સ્મૃતિમાં મુન્દ્રા પોર્ટ વૈશ્વિક સ્તરે સૌથી મોટા બંદરોમાંના એક તરીકે તેના વિસ્તરણ અને ઉત્ક્રાંતિને હાઇલાઇટ કરીને પાથ-બ્રેકિંગ કામગીરીના ૨૫ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ૭ ઓક્ટોબર, ૧૯૯૮ ના એ દિવસે મુન્દ્રા પોર્ટના તટ ઉપર સૌ  પ્રથમ જહાજ MT આલ્ફાને લાંગર્યા બાદ બંદરે  એક સ્વપ્નદ્રષ્ટા અભિગમ, અતુટ મહત્વાકાંક્ષા અને ક્ષતિરહિત કામગીરીનું અવિરત પ્રદર્શન કરવા સાથે વૈશ્વિક નકશા પર પોતાને પ્રીમિયર અને તકનીકી રીતે અદ્યતન બંદરોમાંના એક તરીકે અંકીત કર્યું છે. Mundra Port celebrates 25 years of stellar operations, unparalleled growth

મુન્દ્રા પોર્ટે વેપાર વણજની ગતિવિધીના નિર્ણાયક પ્રવેશદ્વાર તરીકે ઉભરીને આજે એક મલ્ટિમોડલ હબ તરીકે વિકસ્યું છે જેણે વેપારને વેગવાન બનાવ્યો છે અને આર્થિક પ્રગતિનો પાયો મજબૂત બનાવ્યો છે.

એક સાવ સાધારણ શરૂઆતથી આજે તે વૈશ્વિક પ્રસિદ્ધિ પામ્યું છે. ભારતના આર્થિક માળખામાં તેની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂકતા આ પોર્ટે તેના અસ્તિત્વના ૨૫ વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્રીય તિજોરીમાં રુ.૨.૨૫ લાખ કરોડથી વધુનું માતબર.યોગદાન આપવા સાથે. શરૂઆતથી આજ સુધીમાં ૭.૫ કરોડ માનવ-દિન કરતાં વધુ રોજગારીનું સર્જન કર્યું છે.

૧૯૯૮માં મુઠ્ઠીભર ટન કાર્ગો સંચાલનથી સફર શરુ કર્યા બાદ મુન્દ્રાએ ૨૦૧૪માં ૧૦૦ મિલીયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું તે સમયે આ પ્રકારે કામકાજ કરનાર મુદ્ના પોર્ટ પ્રથમ હતું. આજે મુદ્રા પોર્ટ ભારતમાં ફરી પ્રથમવાર ૧૫૫ મિલીયન મેટ્રિક ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરે છે, જે ભારતના દરિયાઈ કાર્ગોનો લગભગ ૧૧% હિસ્સો દર્શાવે છે. મુન્દ્રા કન્ટેનર ટ્રાફિક માટે મુદ્રા એક્ઝિમ ગેટવે પણ છે. હકીકતમાં દેશનો ૩૩% કન્ટેનર ટ્રાફિક સમર્પિત ફ્રેઇટ કોરિડોરમાંથી પસાર થાય છે જે ઉત્તરીય અંતરિયાળ વિસ્તારથી મુન્દ્રા સુધી ડબલ-સ્ટૅક કન્ટેનરની અનન્ય સુવિધા પૂરી પાડે  છે.

આ પ્રસંગે ખુશી અને સંતોષ વ્યક્ત કરતાં અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, મારા માટે મુંદ્રા એ એક બંદરથી વિશેષ છે. તે સમગ્ર અદાણી ગ્રુપ માટે શક્યતાઓની ક્ષિતિજના શિરમોર સ્થાને છે. 25 વર્ષ પહેલાં જ્યારે અમે પોર્ટનું મંગલાચરણ કર્યું ત્યારે અમે એક દીવાદાંડીનું સપનું જોયું હતું જે ભારતની આગામી કૂચનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રતિબદ્ધતાના હૃદયના આ ધબકારા માત્ર મુન્દ્રામાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગુંજી રહ્યા છે અને જે તમામ હિતધારકોના વિશ્વાસનો પડઘો પાડે છે આ તમામને અમારી આ સફરમાં સામેલ થવા માટે ભરપૂર ભરોસો હતો. આજે અમે અમારી આ સિલ્વર જ્યુબિલીને ઉજવી રહ્યા છીએ ત્યારે મુંદ્રા અજાયબીઓના એક પ્રમાણપત્ર તરીકે સૌની સમક્ષ ઉભું છે.

જ્યારે દૂરદર્શિતા, મક્કમ પ્રતિબધ્ધતા અને હજારો હાથ ભેગા થાય છે ત્યારે રળિયામણા બનીને પ્રગટ થઈ શકે છે. અમે અમારા કર્મચારીઓ અને ભાગીદારો સાથે માત્ર એક પોર્ટ બાંધ્યું નથી પરંતુ મુન્દ્રા પોર્ટને વૈશ્વિક ઉત્કૃષ્ટતાન પ્રતીકરુપ શિલ્પનું સર્જન કર્યું છે. મુન્દ્રા પોર્ટટના ઝળહળતા કામકાજે સમગ્ર કચ્છ પ્રદેશનો કાયાકલ્પ કર્યો છે.  અને નવી જ બ્લુપ્રિન્ટ્સ તૈયાર કરી છે.. અમારો આત્મવિશ્વાસ ક્યારેય ઊંચો રહ્યો નથી અને મુંદ્રા વૈશ્વિક નકશા ઉપર બેન્ચમાર્ક સેટ કરીને આગળ વધવાનું ચાલુ રાખશે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડાયરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે આજે મુંદ્રા વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રદર્શન કરી રહ્યું છે.અને મુન્ને નિહાળનાર સહુ કોઇ એ વાતે સહમત થશે કે મુન્દ્રા પોર્ટ એ ગૌતમ અદાણી જેવા અગ્રણી ઉદ્યોગ સાહસિકોની દૂરંદેશી અને અડગ નિર્ધારની જીવંત દ્રશ્યમાન નિશાની છે.

જેઓ  મોટું વિચારવા અને લાંબા ગાળા માટે વિચારવાનું બંધ કરવાનો હંમેશા ઇનકાર કરતા રહ્યા છે. અદાણી જૂથના રાષ્ટ્રનિર્માણમાં નમ્ર યોગદાનરુપે માત્ર ૨૫ વર્ષમાં  મુન્દ્રાના આ બહુપરિમાણીય પરિવર્તનને આપણે જોઈ રહ્યા છીએ. એક સમયે વેરાન અને ઉજ્જડ ભાસતું મુન્દ્રા પોર્ટ આજે  ભારતના એક્ઝિમ વેપારના ગેટવે તરીકે ઉભરી આવ્યું છે

અને વેપાર-વણજ માટે અસાધારણ વૈશ્વિક હબ બન્યું છે.અમે ભારતના વિકાસ માટે એક શક્તિશાળી ઉત્પ્રેરક બનવામાં સફળ થયા છીએ એવું ભારોભાર વિશ્વાસપૂર્વક કહેેવાનુંમને ગૌરવ છે. તમેણે જણાવ્યું કે હું એવું પણ માનું છું કે અમારી સફર હમણાં જ શરૂ થઈ છે.”

મુન્દ્રા પોર્ટ અવિરત મલ્ટિમોડલ કનેક્ટિવિટી સાથે વિશાળ ઉત્તરીય અંતરિયાળ વિસ્તારોમાં સેવા આપે છે. દેશના સૌથી મોટા વ્યાપારી બંદર તરીકે, ૩૫,000 એકરમાં ફેલાયેલું મુન્દ્રા પોર્ટ કોલસા, કુદરતી ગેસ અને ઓટો ટર્મિનલ સહિતની સૌથી વિશાળ અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે. તેનો ઊંડો ડ્રાફ્ટ અને બારમાસી હવામાન ક્ષમતાઓ કાર્ગો ખાલી કરાવવા અને ન્યૂનતમ ટર્નઅરાઉન્ડ સમયની કાર્યક્ષમતાની ખાતરી આપે છે. તેના વ્યૂહાત્મક ફાયદાઓ અને શ્રેષ્ઠ સુવિધાઓએ તેને મુખ્ય વૈશ્વિક શિપિંગ લાઇન્સ માટે પસંદગીની પહેલી હરોળમાં મૂકે છે.

ગ્રીન પહેલથી લઈને ટકાઉ ઓપરેશનલ પદ્ધતિઓ સુધીની પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓમાં પૂૂરી સભાનતા સાથે મુન્દ્રા પોર્ટ મોખરે રહ્યું છે. તેણે મેંગ્રોવ વનીકરણ અને સંરક્ષણના કામો હાથ ધર્યા છે  જેમાં આશરે ૬,000 હેક્ટરમાં પાર્થિવ વનીકરણનો સમાવેશ થાય છે, જેમાં ૧૭.૫ મિલિયન છોડ રોપવામાં આવ્યા છે.  100 મિલિયન વૃક્ષો રોપવાના વિઝનને અનુરૂપ ૨૦૩૦ સુધીમાં વધારાના ૪ મિલિયન વૃક્ષો વાવવાની યોજના ઘડી કાઢવામાં આવી છે.

સમાજ પ્રત્યેની જવાબદારીની ગહન પ્રતિબદ્ધતા સાથે અદાણી ફાઉન્ડેશન આજે મુન્દ્રાના ૬૧ ગામો અને કચ્છના વિવિધ ભાગોના ૧૧૩ ગામવાસીઓના જીવન ઉત્કર્ષના કાર્યો સાથે સંકળાયેલું છે, જે ૩.૫૩ લાખ લોકોને સ્પર્શે છે. અદાણી ગ્રૂપના આગમનથી કચ્છ પ્રદેશમાં ગહન ફેરફારો થયા છે,

જેમાં શિક્ષણ,આરોગ્ય સંભાળ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા શહેરો અને ગામડાઓના ઉત્થાન માટે અદાણી ફાઉન્ડેશન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે અદાણી ગૃપના નૈતિક મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે – સામાજિક જવાબદારી સાથે વ્યવસાય વૃદ્ધિના નિર્ધાર સાથે ફાઉન્ડેશન કાર્યરત છે.

અગાઉ કચ્છ કૃષિ, પશુપાલન અને શ્રમ પર નિર્ભર હતું, ગુણવત્તાયુક્ત શિક્ષણ,આરોગ્ય સંભાળ અને માળખાકીય સુવિધાના અભાવના કારણે ઘણા લોકો અન્યત્ર તકો શોધતા હતા. પરંતુ કૌશલ્ય વિકાસના અદાણી ફાઉન્ડેશને હાથ ધરેલા કાર્યક્રમો અંતર્ગત તાલીમબધ્ધ થઇ યુવાનોએ હવે વિવિધ વ્યવસાયો અપનાવ્યા છે.

અદાણી વિદ્યા મંદિર વંચિત બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે છતાં શૈક્ષણિક લેન્ડસ્કેપ વિકસ્યો છે. આરોગ્ય સંભાળ જેવી પ્રાથમિક સુવિધા પૂૂરતી ન હતી ત્યારે આજે અત્યાધુનિક હોસ્પિટલો દ્વારા સેવા આપવામાં આવે છે, જે અદ્યતન સારવાર માટે સક્ષમ છે.

૫રિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થયો છે, જે ઉત્તમ રોડ કનેક્ટિવિટી, રિયલ એસ્ટેટ ક્ષેત્રની તેજી અને ખરીદ શક્તિમાં વધારો દ્વારા ચિહ્નિત થયેલ છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત પ્રવૃત્તિઓને વિકાસ કામો સાથે પ્રાથમિકતા આપવાના પરિણામે આ પ્રદેશના સામાજિક-સાંસ્કૃતિક તાણાવાણાને ફરીથી આકાર આપતા સર્વગ્રાહી વિકાસને આવરી લેતા મહિલા સશક્તિકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિના બીજ અદાણી ફાઉન્ડેશને રોપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.