Western Times News

Gujarati News

ટીમ ઇન્ડિયા સામે પાંચ વિકેટ ઝડપીશ: શાહીન આફ્રિદી

નવી દિલ્હી, પાકિસ્તાનના સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટું નિવેદન આપતા કહ્યું કે તે ભારત સામે ૫ વિકેટ લેશે. શાહિને પોતાના નિવેદનથી ભારે હલચલ મચાવી દીધી છે. વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાશે. ચાહકો આ શાનદાર મેચની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

શાહીનના આ નિવેદનથી ફેન્સની ઉત્સુકતા વધુ વધી હશે. પહેલીવાર ભારતમાં રમવા આવેલા શાહીન આફ્રિદીએ ભારત સામેની મેચ પહેલા કહ્યું હતું કે તે ભારત સામે ૫ વિકેટ લેશે. શાહીન અત્યાર સુધીમાં ૪૬ વન-ડે મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે બે વખત ૫ વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં શાહીનને ભારત સામે નવા બોલ સાથે બોલિંગ ફેંકતો જાેવાનું રસપ્રદ રહેશે.

જાે કે, શાહીન અત્યાર સુધીની બે મેચમાં ખૂબ જ ખરાબ ફોર્મમાં જાેવા મળ્યો છે. બંને મેચમાં (નેધરલેન્ડ અને શ્રીલંકા સામે) તેને માત્ર ૧-૧થી જ સફળતા મળી છે. શાહીન આફ્રિદીએ વન-ડે વર્લ્ડ કપ પહેલા રમાયેલા એશિયા કપ ૨૦૨૩માં ટીમ ઈન્ડિયા સામે બે મેચ રમી હતી.

ભારત વિરૂદ્ધ ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચમાં શાહીને ૧૦ ઓવરમાં માત્ર ૩૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી, જેમાં તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા. જાે કે વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સુપર-૪ તબક્કાની બીજી મેચમાં ભારત સામે શાહીન સંપૂર્ણપણે ફ્લોપ રહ્યો હતો.

પાકિસ્તાની ફાસ્ટ બોલર ભારત સામે માત્ર એક જ સફળતા મેળવી શક્યો. તેણે ૧૦ ઓવરમાં ૭.૯૦ની ઇકોનોમી સાથે ૭૯ રન આપ્યા હતા. ભારત સામે શાહીન આફ્રિદીના એકંદરે વન-ડે રેકોર્ડની વાત કરીએ તો પાકિસ્તાની બોલરે ભારત સામે અત્યાર સુધીમાં ત્રણ વન-ડે રમી છે, જેમાં તેણે ૩૧.૨૦ની એવરેજથી ૫ વિકેટ ઝડપી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.