Western Times News

Gujarati News

રાજ્ય માહિતી કમિશનર શ્રી કે. એમ. અધ્વર્યુ અને શ્રી વી. પી. પંડ્યાનો વિદાય સમારોહ યોજાયો

રાજ્ય માહિતી કમિશનર શ્રી કે. એમ. અધ્વર્યુ તેમજ શ્રી વી. પી. પંડ્યાનો કાર્યકાળ પૂર્ણ થતા ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના પ્રારંભે માહિતી આયોગના સચિવ શ્રી જયદિપ દ્વિવેદીએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ માહિતી આયોગ દ્વારા રાજ્ય માહિતી કમિશનરશ્રીઓને ગરિમાપૂર્ણ વિદાયમાન આપવામાં આવ્યું હતું. State Information Commissioner Shri K. like this. Adhwaryu and Shri V. P. A farewell ceremony was held at Gandhinagar on completion of Pandya’s tenure

આ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર શ્રી અમૃત પટેલ, રાજ્ય માહિતી કમિશનર શ્રી આર. જે. કારીઆ, પૂર્વ મુખ્ય માહિતી કમિશનર શ્રી દિલીપ ઠાકર, શ્રી વી. એસ. ગઢવી તથા પૂર્વ રાજ્ય માહિતી કમિશનર શ્રી આર. આર. વરસાણી, સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ શ્રી જે. પી. ત્રિવેદી તથા માહિતી આયોગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ મહાનુભવો દ્વારા રાજ્ય માહિતી કમિશનર શ્રી કે. એમ. અધ્વર્યુ તેમજ શ્રી વી. પી. પંડ્યાની સુદીર્ઘ સેવાઓ દરમ્યાન હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ તેમજ અજોડ વહીવટી કુનેહને બિરદાવવામાં આવી હતી. આ સાથે જ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા તથા સમર્પણ ભાવનાની પણ ઉપસ્થિત મહાનુભવો દ્વારા નોંધ લેવામાં આવી હતી.

પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા બન્ને રાજ્ય માહિતી કમિશનરશ્રીઓ દ્વારા પણ તેમની સરકારી સેવા દરમિયાનના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા. સાથે જ તેમણે સન્માન માટે સૌનો આભાર પણ માન્યો હતો. સમારંભના અંતે માહિતી આયોગના હિસાબી અધિકારી શ્રી બી. ટી. જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.