Western Times News

Gujarati News

અભિનેતા અલ્લુ અર્જુન પુષ્પા-૨ના સેટ પર ઘાયલ થયો

મુંબઈ, સાઉથનો સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘પુષ્પા ૨-ધ રૂલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન, અભિનેતા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે સાંભળીને તેના ચાહકો નિરાશ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. વાસ્તવમાં, અલ્લુ અર્જુન ફિલ્મની એક મહત્વપૂર્ણ સિક્વન્સના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો હતો. આ કારણે મેકર્સે શૂટિંગ થોડા દિવસો માટે સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. અલ્લુ અર્જુનની ટીમે આ માહિતી આપી છે.

અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુનને ફાઈટ સિક્વન્સના શૂટિંગ દરમિયાન પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. આ કારણે ડોક્ટરોએ તેને હાલ આરામ કરવાની સલાહ આપી છે. હવે ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થશે. ફિલ્મ પુષ્પા ૨-ધ રૂલ આવતા વર્ષે ૧૫ ઓગસ્ટે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જાેવા મળ્યો હતો.

ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પુષ્પાની આ ફિલ્મનો પહેલો ભાગ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જાેરદાર કમાણી કરી હતી. આવી સ્થિતિમાં અલ્લુ અર્જુનની આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ‘પુષ્પાઃ ધ રૂલ’માં અલ્લુ અર્જુન ઉપરાંત ફહાદ ફૈસિલ, રશ્મિકા મંદન્ના, સુનીલ, પ્રકાશ રાજ, જગપતિ બાબુ, અનુસૂયા ભારદ્વાજ મહત્વની ભૂમિકામાં જાેવા મળશે. નોંધનિય છે કે પુષ્પાના પ્રથમ ભાગની સફળતા બાદ ફેન્સ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.