Western Times News

Gujarati News

સલમાનના કારણે વિવેકને આજે પણ ફિલ્મોના છે ફાંફા

મુંબઈ, કહેવાય છે કે જો તમારે દરિયામાં રહેવું હોય તો તમારે મગરો સાથે વેર ન રાખવું જોઈએ. તસવીરમાં ડાન્સ કરતા દેખાતા આ એક્ટરને કદાચ આ વાત સમજવામાં મોડું થઇ ગયું હતું. જ્યાં સુધી તેને આ કહેવતનું ઊંડાણ સમજાયું ત્યાં સુધીમાં તે મગર એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર સાથે પંગો લઇ ચૂક્યો હતો. સલમાન ખાન સાથેની ટણીમાં આ એક્ટરે સાથે એક નહીં પરંતુ બે ભૂલો કરી.

પહેલા આ એક્ટરે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડના પ્રેમમાં પડવાનો પ્રયાસ કર્યો અને પછી સલમાન ખાન પર ગંભીર આરોપો લગાવ્યા, ત્યારબાદ તેની કરિયરનું પતન થવાનું શરૂ થયું. આ એક્ટર બીજુ કોઇ નહીં પરંતુ વિવેક ઓબેરોય છે, જેને જ્યારે સ્ક્રીન પર જોવામાં આવ્યો, ત્યારે તેની એક્ટિંગ અને કોÂન્ફડેન્સ જોઈને એવું માનવામાં આવતું હતું કે તે લાંબી રેસનો ઘોડો સાબિત થશે.

વિવેક ઓબેરોય પણ તેની શરૂઆતની ફિલ્મો દ્વારા તેની એક્ટિંગનો દમ બતાવતો જોવા મળ્યો હતો. કંપની ફિલ્મથી ડેબ્યુ કરનાર વિવેક ઓબેરોયને પણ આ ફિલ્મ માટે ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. કરિયરની ગાડી સાચા ટ્રેક પર આગળ વધી પણ ખરાં. સાથિયા, દમ ડરના મન હૈ અને યુવા જેવી ફિલ્મો દ્વારા પણ તેને પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળી અને તે તેમાં સફળ પણ રહ્યો.

પરંતુ આ પછી તેના જીવનમાં ‘ક્યૂં હો ગયા ના’ ફિલ્મ આવી, જેના પછી બધું જ બદલાઈ ગયું. વિવેક ઓબેરોય ફિલ્મ ‘ક્યૂં હો ગયા ના’માં ઐશ્વર્યા રાયનો હીરો બન્યો હતો. તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનું બ્રેકઅપ થઈ ગયું છે અને તે વિવેક ઓબેરોયની નજીક આવી રહી છે. વિવેક ઓબેરોયે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો, પરંતુ ઐશ્વર્યા રાય હંમેશા મૌન રહી હતી.

આ દરમિયાન એક દિવસ વિવેક ઓબેરોયે પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને સલમાન ખાન પર આરોપ લગાવ્યો કે તેણે તેને ફોન કરીને ધમકાવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. સલમાન ખાને પણ આ મામલે મૌન સેવ્યું હતું. જોકે ઐશ્વર્યા રાયે ક્યારેય વિવેક સાથેના તેના અફેરની પુષ્ટિ કરી નથી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, બંને વર્ષ ૨૦૦૩માં અલગ થઈ ગયા હતા.

પરંતુ ત્યાર પછી વિવેક ઓબેરોયના સિતારા ઝાંખા પડવા લાગ્યા. તેની મેન લીડ ફિલ્મો મળવાની ઓછી ગઈ. આ માટે સલમાન ખાનને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તેણે ક્રિશ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવીને ફરીથી પોતાની જાતને સાબિત કરી બતાવી. સુરેશ ઓબેરોયે ‘લેહરે રેટ્રો’ સાથે વાત કરતા ખુલાસો કર્યો કે વિવેકે તેને ક્યારેય ઐશ્વર્યા રાય સાથેના સંબંધો વિશે જણાવ્યું નથી.

તેમને રામ ગોપાલ વર્મા અને અન્ય લોકો દ્વારા તેમના પુત્રના અફેરની જાણ થઈ હતી. તેણે તેના પુત્રને તેના કોસ્ટાર સાથે પ્રેમ સંબંધમાં રહેવાની મનાઈ કરી હતી. તે કહે છે, ‘જ્યારે તે છોકરી ઘરે આવતી હતી, ત્યારે મને તેને મળવાની ખૂબ મજા આવતી હતી. હવે જો તમારા પુત્રની મિત્ર આવે તો તમે શું કરશો, તમે તેને પ્રેમથી વર્તન કરશો? બહાર શું થઈ રહ્યું છે તેની મને જાણ નહોતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.