Western Times News

Gujarati News

ખોડલધામ પ્રમુખનું ધોરાજી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે

ધોરાજીમાં ૧૧ તારીખે ખોડલધામના્‌ પ્રમુખ નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે જ ખોડલધામ ચોકનું નામકરણ વિધિ સમારોહ યોજાશે. ધોરાજી ખોડલધામના પ્રમુખ અરવિંદભાઈ વોરાએ આ માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, નરેશભાઈ પટેલ ત્રિવિધ સમારોહમાં પધારતા હોય ત્યારે તેઓનું સરદાર પટેલ ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે આગામી ૨૧ જાન્યુઆરીના રોજ અમરેલી ગામ ખાતે સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબધ્ધ કરવા નરેશભાઈ પટેલ ધોરાજી આવી રહ્યા છે.

આ દરમિયાન બહેનો તથા ભાઇઓ સાથે બાઇક રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરશે. બાદમાં સ્વાતી ચોકનું નવું નામ “શ્રી ખોડલધામ ચોક” નામકરણ નરેશભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત ખોડલધામ કાર્યાલયનું ઉદ્‌ઘાટન નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ લેઉવા પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ સંકુલ ખાતે નરેશભાઈ પટેલ સમાજને સંદેશો આપશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.