Western Times News

Gujarati News

અજમેરના ઢાઈ દિન કા ઝોપડાને મૂળ સ્વરૂપમાં લાવવા બીજેપીના સાંસદનો કેન્દ્રને પત્ર

અજમેર, અજમેરની “ઢાઈ દિન કા ઝોપડા” મસ્જિદને મંદિરમાં પરિવર્તિત કરવાની માગણીએ જાેર પકડ્યું છે. બીજેપી સાંસદ રામચરણ બોહરાએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ આ જગ્યાએ ફરીથી સંસ્કૃત મંત્રો ગુંજશે. તેમણે આ સ્થળને તેના મૂળ સ્વરૂપમાં લાવવા માટે કેન્દ્રીય સંસ્કૃતિ, પર્યટન અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી કિશન રેડ્ડીને પત્ર પણ લખ્યો છે.

ઇસ્લામિક આક્રમણકારોએ સેંકડો હિંદુ મંદિરો તોડીને તેમના પર મસ્જિદો બનાવી હતી. આમાંથી એક ઢાઈ દીન કા ઝોંપડા પણ છે. જેને આજે ‘ઢાઈ દિન કા ઝોપડા’ કહેવામાં આવે છે, તે મૂળરૂપે એક વિશાળ સંસ્કૃત કોલેજ (સરસ્વતી કંઠભરણ મહાવિદ્યાલય) હતી. તે જ્ઞાન અને શાણપણની હિંદુ દેવી સરસ્વતીને સમર્પિત મંદિર હતું.
૧૧૯૨ એડીમાં, મુહમ્મદ ઘોરીએ મહારાજા પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા અને અજમેર પર કબજાે કર્યો.

તેણે તેના ગુલામ કમાન્ડર કુતુબુદ્દીન-ઐબકને શહેરમાં આવેલા મંદિરોનો નાશ કરવાનો આદેશ આપ્યો. એવું કહેવાય છે કે તેણે ઐબકને ૬૦ કલાકની અંદર મંદિરના સ્થળે મસ્જિદનો નમાઝ વિભાગ બનાવવાનો આદેશ આપ્યો હતો જેથી તે નમાઝ અદા કરી શકે. તેનું નિર્માણ અઢી દિવસમાં થયું હોવાથી તેનું નામ ‘ઢાઈ દિન કા ઝોપડા’ રાખવામાં આવ્યું હતું.

આ મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં લાવવાની માંગ એવા સમયે વેગ પકડાઈ છે જ્યારે ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ અયોધ્યામાં ભગવાન રામ લલ્લાનો અભિષેક થવાનો છે. અયોધ્યામાં પણ ઇસ્લામિક આક્રમણકારોએ રામજન્મભૂમિ પર બાબરના નામે એક માળખું ઊભું કર્યું હતું. લગભગ ૫૦૦ વર્ષના સંઘર્ષ બાદ હવે આ સ્થાન પર ભવ્ય રામ મંદિર આકાર લઈ રહ્યું છે.

જયપુરના સાંસદ રામચરણ બોહરાએ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “૧૨મી સદીમાં મહારાજ વિગ્રહરાજ ચૌહાણ દ્વારા મંદિર અને સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર તરીકે સ્થાપિત ઢાઈ દિન કા ઝૂંપડા ૧૨૯૪માં બનાવવામાં આવી હતી. મોહમ્મદ ઘોરીના આદેશ પર કુતુબુદ્દીન એબકે તેને તોડી પાડ્યો હતો. વેદ અને પુરાણોના પ્રસારક હોવા ઉપરાંત, આ કેન્દ્ર સાંસ્કૃતિક શિક્ષણનું પણ મહત્વનું કેન્દ્ર રહ્યું છે.

પત્રમાં તેમણે લખ્યું છે કે, “ગુલામીનું આ પ્રતીક હજુ પણ ભારતીય સમાજ માટે કલંક છે. તેથી, તેને તેના મૂળ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે, આ પત્ર તમારા વિચારણા માટે પ્રસ્તુત છે. આ સાથે, મહારાજ વિગ્રહરાજના લોકોત્તર વ્યક્તિત્વ અને કાર્યની સાથે, પ્રાચીન અને મહત્વપૂર્ણ સંસ્કૃત શિક્ષણ કેન્દ્રની પુનઃસ્થાપના થશે, જે સનાતન ધર્મના સંરક્ષણ અને વિસ્તરણમાં મહત્વપૂર્ણ સાબિત થશે.’

બોહરાએ આ પત્ર ૯ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ લખ્યો છે. એક દિવસ પહેલા જ તેમણે રાજસ્થાન યુનિવર્સિટીના ૭૮માં કોન્વોકેશન દરમિયાન પોતાના સંબોધનમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

તેણે કહ્યું હતું કે, “ઢાઈ દિન કા ઝૂંપડાનો રસ્તો બનાવવા માટે ત્યાં હાજર સંસ્કૃત પાઠશાળાને તોડી પાડવામાં આવી હતી. હવે તે દિવસ દૂર નથી જ્યારે સંસ્કૃત ભાષામાં લખાયેલા મંત્રો ફરી એકવાર અહીં ગુંજશે. આ દરમિયાન રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા પણ મંચ પર હાજર હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.