Western Times News

Gujarati News

દિલ્હી CMને ચોથી વખત EDનું તેડું

નવી દિલ્હી,  દિલ્હી શરાબ કાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ED દ્વારા ફરી એકવાર પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલને મળેલું આ ચોથું સમન્સ છે. આ પહેલા અરવિંદ કેજરીવાલને ત્રણ સમન્સ જારી કરવામાં આવ્યા છે અને તેઓ એક વખત પણ એજન્સી સમક્ષ હાજર થયા નથી. અરવિંદ કેજરીવાલને ૩ જાન્યુઆરી માટે ત્રીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું.

EDએ તેમને તપાસમાં સામેલ થવા માટે નોટિસ જારી કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરવા માંગે છે. અરવિંદ કેજરીવાલે અત્યાર સુધી મળેલા ત્રણેય સમન્સની અવગણના કરી છે અને આરોપ લગાવ્યો છે કે ED નોટિસ ગેરકાયદેસર છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગયા વર્ષે ૨ નવેમ્બર અને ૨૧ ડિસેમ્બર અને આ વર્ષે ૩ જાન્યુઆરીએ તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલને અગાઉ સમન્સ જારી કરવામાં આવ્યું હતું અને ગયા વર્ષે ૨ નવેમ્બર અને ૨૧ ડિસેમ્બર અને આ વર્ષે ૩ જાન્યુઆરીએ તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. પહેલા સમન્સમાં અરવિંદ કેજરીવાલ ચૂંટણી સભા માટે ગયા હતા અને બીજા સમન્સ દરમિયાન તેઓ વિપશ્યના માટે ગયા હતા.

તાજેતરમાં પણ ED દ્વારા જારી કરાયેલા સમન્સ પર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેની સામે હાજર થવાનો ઇનકાર કરી દીધો હતો અને એમ પણ કહ્યું હતું કે એજન્સીના દૃષ્ટિકોણથી તે આવી શકે નહીં. કાયદો, સમાનતા અથવા ન્યાયની કસોટી પર ઊભો રહે અને ઈડ્ઢનો આ ‘આગ્રહ’ ‘જજ, જ્યુરી અને જલ્લાદ’ની ભૂમિકા ભજવવા સમાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.