Western Times News

Gujarati News

રાજકોટઃ પિતાએ પુત્રને ફોન કરીને કહ્યુ, મેં તારી માને મારી નાંખી છે

રાજકોટ, ૫૫ વર્ષીય કમળા પરમાર નામની પરિણીતાની હત્યા તેના પતિ પ્રેમજી પરમાર દ્વારા કરી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળના સર્વોદય સોસાયટીમાં આવેલા ગોવિંદ નગર ખાતે રહેતા પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર શુક્રવારના રોજ સાંજના સમયે બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ કમળા પરમારના પતિ પ્રેમજી પરમાર દ્વારા તેને બોથડ પદાર્થ વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. તો સાથે જ પોતાના ત્રણ દીકરા પૈકી સૌથી મોટા દીકરા બાબુ પરમારને ફોન કરીને તારી માને મારી નાખી છે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ ઘરને તાળું મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર મામલાની જાણ બાબુ પરમારને થતા તેને શાપર વેરાવળ ખાતે મજૂરી કામ કરનારા પોતાના બંને ભાઈઓને ફોન દ્વારા જાણ કરી હતી. તાત્કાલિક અસરથી મરણ જનાર કમળા પરમારના બંને પુત્ર પોતાના ઘરે પહોંચ્યા હતા ત્યારે ઘરને તાળું લાગેલું જોવા મળ્યું હતું. તાળું ખોલીને ઘરની અંદર પોતાની માતા કમળા પરમાર બેભાન હાલતમાં જોવા મળી હતી.

ત્યારે તાત્કાલિક અસરથી ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. ત્યારે ૧૦૮ મારફતે કમળા પરમારને બેભાન હાલતમાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મરણ ગયેલ જાહેર કરી હતી. સમગ્ર મામલાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા શાપર વેરાવળ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઇ રાજદીપસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો સાથે જ આરોપી પ્રેમજી પરમારની શોધખોળ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

આરોપી અને મરણ જનાર મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ભદ્રેશી ગામના પત્ની હોવાનું સામે આવ્યું છે. તેમજ છેલ્લા છે વર્ષથી શાપર વેરાવળ ખાતે રહેતા હોવાનું સામે આવ્યું છે. કમળા પરમારનો સૌથી મોટો દીકરો બાબુ પરમાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.