Western Times News

Gujarati News

અમદાવાદમાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી રાત્રે લોકડાયરાથી કરાઈ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયામાં આયોજિત રામ ડાયરામાં લોક કલાકાર શ્રી યોગેશ ગઢવી દ્વારા ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત

આવતીકાલે અયોધ્યામાં યોજાનાર રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ઠેર ઠેર વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વરાત્રિએ અમદાવાદ શહેરમાં પણ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મતવિસ્તાર ઘાટલોડિયામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આયોજિત લોકડાયરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઘાટલોડિયાના રન્ના પાર્ક ખાતે યોજાયેલા રામ ડાયરામાં કલાકાર શ્રી યોગેશ ગઢવી અને તેમની ટીમે વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત દ્વારા વાતાવરણને રામમય બનાવ્યું હતુ.

અમદાવાદ શહેરના ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી જિતેન્દ્રભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, મ્યુનિ. કોર્પોરેશનના હોદ્દેદારો/અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ડાયરાને ઉત્સાહપૂર્વક માણ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.