Western Times News

Gujarati News

નવા પશ્ચિમઝોનની “સ્ટેગર્ડ” સમસ્યાના ઉકેલ માટે ૧૯ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન બનાવવામાં આવશે

Files Photo

ઝોનના ૪ર પૈકી ર૧ વો.ડી.સ્ટેશનમાં નિયમિત બે કલાક પાણી સપ્લાય થતા હોવાના દાવા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ર૪ કલાક પાણી સપ્લાય કરવાના દાવા કરવામાં આવે છે. જયારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી સપ્લાય થતા નથી અથવા અપુરતા પ્રેશરથી પાણી સપ્લાય થઈ રહયા છે. મ્યુનિ.કોર્પોરેશનની હદમાં ર૦૦૬ની સાલમાં સમાવિષ્ટ થયેલ નવા પશ્ચિમઝોનના વિસ્તારોની પરિસ્થિતિનું અલગ જ છે.નવા પશ્ચિમઝોનના જાધપુર વોર્ડમાં ર૪ કલાક પાણી સપ્લાયનો પ્રોજેકટ લગભગ પૂર્ણ થઈ ગયો છે.

વેજલપુર, સરખેજ તથા થલતેજ વોર્ડ બે કલાક પાણી સપ્લાય થાય છે. જયારે ઘાટલોડીયા, ચાંદલોડીયા, ગોતા ના વિસ્તારોમાં હજી પણ સ્ટેગરથી પાણી આપવામાં આવે છે. જે અંગે અવારનવાર સ્ટેન્ડીંય કમીટીમાં રજુઆતો થતી રહે છે. જયારે મ્યુનિ.વોટર ઓપરેશન્સ વિભાગ દ્વારા સ્ટેગર સીસ્ટમને દુર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો નકકર અમલ થશે તો નવા પશ્ચિમઝોનની સમસ્યા દૂર થઈ શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે.


મ્યુનિ.કોર્પોરેશનની હદમાં ર૦૦૬-૭ના વર્ષમાં જે વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે પૈકી મોટાભાગના વિસ્તારોમાં પીવાલાયક પાણીની સમસ્યા જાવા મળતી હતી. જે સમયે આ વિસ્તારો ભેળવાયા તે સમયે નવા ઝોનની નગરપાલિકાઓ તથા ગ્રામપંચાયતની કુલ ૩૦ જેટલી પાણીની ટાંકીઓ હતી. જેની કેપેસીટી ઓછી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શરૂઆત ના તબકકામાં આ ટાંકીઓની મદદથી જ પાણી વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ જે ખુલ્લા પ્લોટ મળ્યા તેવાં નવા વોટર ડીસ્ટ્રી. સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. નવા ઝોનના ઉત્તર-પશ્ચિમ અને દ.પશ્ચિમઝોનમાં હાલ ૪ર વો.ડી.સ્ટેશન છે. જે પૈકી લગભગ ર૧ વો.ડી.સેન્ટર પરથી રોજ સવારે બે કલાક પાણી સપ્લાય થઈ રહયું છે. જેમાં ઘાટલોડીયાનું વિધાતા ગોતામાં જનતાનગર, ગોતાવોર્ડમાં કારગીત, થલતેજ વોર્ડમાં નિલકંઠ, બોડકદેવ વોર્ડમાં વાળીનાથ, વેજલપુર વોર્ડમાં દેવાસ તથા ચાંદલોડીયામાં જગતપુર વો.ડીસ્ટ્રી. સ્ટેશન મુખ્ય છે. આ તમામ વિસ્તારોમાં સ્ટેગર્ડ સપ્લાય બંધ કરી બે કલાક પાણી આપવામાં આવી રહયું છે.

મ્યુનિ.વોટર પ્રોજેકટ વિભાગ દ્વારા ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમઝોનમાં નવા ૧૯ વો.ડી.સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાં હાલ સ્ટેગર્ડ સીસ્ટમ બંધ હોવાના દાવા કરવામાં આવી રહયા છે. ઉત્તર પશ્ચિમઝોનના બોડકદેવ, થલતેજ, ગોતા તથા ઘાટલોડીયા વોર્ડમાં સ્ટેગર્ડની હાલાકી દૂર કરવા માટે ૧ર સ્થળે નવા વોટર ડીસ્ટ્રી.સ્ટેશન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

જે પૈકી ગોતા વોર્ડ ટી.પી. ૩રમાં કે સીટી લેબોરેટરીની બાજુમાં વોટર ડીસ્ટ્રી.સ્ટેશનનું કામ ચાલી રહયું છે. ચાંદલોડીયા વોર્ડમાં ગજરાજ સોસાયટી બોડકદેવમાં ઔડા ગાર્ડનની બાજુમાં, ઘાટલોડીયા ગામમાં તથા ઘાટલોડીયા સાઈબાંબા મંદીર પાસે નવા વો.ડી.સેન્ટર બનાવવા પ્લોટ ફાયનલ થઈ ગયા છે. બોડકદેવ વોર્ડમાં નવા પાંચ વો.ડી.સેન્ટર બનાવવામાં આવશે. વોર્ડમાં ત્રિલોક-રો-હાઉસ આંબલી ગામ પાસે, રાજમાતા સિંધીયા ભવનની બાજુમાં ગોયેલ પ્લાઝા પાસે તથા ઔડા ગાર્ડનની બાજુમાં નવા ડીસ્ટ્રી.સેન્ટર તૈયાર થશે. નવા પાંચ પૈકી ચાર સેન્ટર માટે પ્લોટ ફાયનલ થઈ ગયા છે. જયારે ગોયેલે પ્લાઝા પાસે પ્લોટ મળવો મુશ્કેલ હોવાનું માનવામાં આવે છે.

દક્ષિણ પશ્ચિમઝોનમાં સાત વો.ડી.સેન્ટર તૈયાર કરવામાં આવશે. જે પૈકી જાધપુર વોર્ડમાં ત્રણ વેજલપુર વોર્ડમાં બે તથા મકતમપુરા અને સરખેજમાં એક-એક ડીસ્ટ્રી.સેન્ટરનો સમાવેશ થાય છે.  જાધપુર વોર્ડમાં ગોકુલ આવાસ પાસે તૈયાર થયેલ વોટર ડીસ્ટ્રી. સેન્ટરમાંથી પ્રહલાદનગર ગાર્ડન વિસ્તારમાં પાણી સપ્લાય થશે. ગોકુલ આવાસ સેન્ટર ર૪ટ૭ પ્રોજેકટ અંતર્ગત તૈયાર કરવામાં આવ્યું છે. વેજલપુર વોર્ડમાં રેલવેલાઈન પાસે અને ગામતળમાં તથા મકતમપુરા વોર્ડમાં જુહાપુરા શાકમાર્કેટ પાસે ડીસ્ટ્રી. સેન્ટર બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.


વેજલપુરમાં સાલપરા વોટરડીસ્ટ્રી. સેન્ટરના કમાન્ડ વિસ્તારનો મકરબા પોલીસ સ્ટેશન પાસે તૈયાર થઈ રહેલ વો.ડી.સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે મકતમપુરા વોર્ડમાં સંકલીતનગર વો.ડી.સ્ટેશનનો કમાન્ડ વિસ્તારને એ.પી.એમ.સી.ના કમાન્ડ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં ૧ર વર્ષથી  સ્ટેગર્ડ સીસ્ટમથી પાણી સપ્લાય થઈ રહયા છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ઘાટલોડીયાના કોર્પોરેટર જતીનભાઈ પટેલે સ્ટેગર્ડ સીસ્ટમ બંધ કરવા માટે વધુ એક વખત રજુઆત કરી હતી.

તેમના જણાવ્યા મુજબ નવા ઝોનમાં વહેલી સવારે ચાર વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે માંડ અડધા વોર્ડમાં જ પાણી સપ્લાય થાય છે.  નાગરીકો ને વહેલી સવારે તથા મોડીરાત્રે પાણી ભરવા પડે છે. દસ-બાર વર્ષથી થઈ રહેલ હાલાકીને દુર કરવા માટે માત્ર કાગળ આયોજન કરવાના બદલે નકકર આયોજન કરવામાં આવે તે જરૂરી છે.મ્યુનિ. કમીશ્નરે તેમની રજુઆતનો સ્વીકાર કરીને સ્ટેગર્ડ સીસ્ટમના નિરાકરણ માટે વોટર પ્રોજેકટના એડીશનલ ઈજનેર, ડે.મ્યુનિ.કમીશ્નરને તાકીદ કરી હતી. તથા તમામ આયોજનમાં જતીન પટેલને સાથે રાખી કામ કરવા સુચના આપી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.