Western Times News

Gujarati News

ગાંધીનગરના શ્રદ્ધાળુઓને GSRTC દ્વારા અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવાશે

પ્રતિકાત્મક

શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-ર૦ર૪ યોજના -ભક્તોની સેવાના અવસર નિમિત્તે તા.૧ર થી ૧૬ દરમિયાન ૭૦ બસ દોડશે: કલેકટર

ગાંધીનગર, શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ- ર૦ર૪ અંતર્ગત ગાધીનગરના શ્રદ્ધાળુઓને એસ.ટી. દ્વારા અંબાજી દર્શન માટે નિઃશુલ્ક લઈ જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભકતોની સેવાના અવસર નિમિત્તે તા.૧ર થી ૧૬ ફેબ્રુઆરી દરમીયાન ૭૦ બસોની વ્યવસ્થા કરવામાં આવીછે.

પરિક્રમા આયોજનની સમીક્ષા કરતા જિલ્લા કલેકટર એમ.કે. દવેએ શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંદર્ભે યોજાઈ રહેલી યાત્રાને માં અંબાના દર્શન માટેનું પુણ્ય કાર્ય અને માઈ ભકતોની સેવા માટેનો અવસર ગણાવી હતી. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિઃશુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીને અલ્પાહાર, પીવાના પાણી અને ભોજનની વ્યવસ્થા તેમજ જરૂરતના સમયે આરોગ્યની સેવા પણ મળી રહે તે માટેની વ્યવસ્થા સંદર્ભે જિલ્લા કલેકટરે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શ્રદ્ધાળુ આ યાત્રામાં જોડાય તે માટે અનુરોધ પણ કર્યો હતો.

યાત્રા દરમિયાન અંબાજી પદયાત્રા સંઘના કાર્યકર્તાઓ, ધાર્મિક સંસ્થાઓ, સ્વેÂચ્છક સંસ્થાઓ, સહકારી મંડળીઓ, સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓના સહયોગથી વિશે આયોજન હાથ ધરાયું છે. સમગ્ર યાત્રાનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં તેમજ શહેરમાં સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, નિવાસી અધિક કલેકટર દિગંત બ્રહ્મભટ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી જે.એમ. વેગડા, પ્રાંત અધિકારીઓ, મામલતદાર, ટીડીઓ, પાલિકાના ચીફ ઓફિસર્સ સહિતના અધિકારીઓ અને જય અંબે પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધીનગર તેમજ વિવિધ પદયાત્રા સંઘના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.