રાહુલ ગાંધી ‘શાહજાદા’ અને ‘જાદુગર’: વડાપ્રધાન મોદી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/04/Modi-1024x630.webp)
પિપરિયા, લોકસભા ચૂંટણી-૨૦૨૪ માટે પ્રથમ તબક્કાનું મતદાન ૧૯ એપ્રિલે યોજાશે. સોત્તાપક્ષ અને વિપક્ષોના નેતાઓ જોરશોરથી ચૂંટણી સભા ગજવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશની નર્મદાપુરમ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર દર્શનસિંહના સમર્થનમાં પિપરિયામાં જાહેરસભા સંબોધી હતી.
મા નર્મદાના જયઘોષ સાથે ભાષણની શરુઆત કરીને વડાપ્રધાન મોદીએ ઈન્ડિ ગઠબંધન, કોંગ્રેસ, રાહુલ ગાંધી સહિત વિપક્ષોના અન્ય નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. વડાપ્રધાને રાહુલ ગાંધીને ‘શાહજાદા’ અને ‘જાદુગર’ ગણાવ્યા અને સાથે જ ઈન્ડિ ગઠબંધનના ચૂંટણી ઢંઢેરાને ખતરનાક ગણાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હજુ વધારે દિવસો થયો નથી, જ્યારે મધ્યપ્રદેશે આખા દેશને ચોંકાવી દીધો હતો અને હોશંગાબાદે તો કમાલ કરી દીધી હતી. અહીંયાથી જે લહેર ઉઠી હતી, એ લહેર આખા દેશમાં ફેલાઈ ચૂકી છે. આજે દેશના ખૂણે-ખૂણામાંથી એક જ અવાજ આવી રહી છે .
ફરી એક વખત મોદી સરકાર. આજે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ છે. તેમનું(બાબાસાહેબ)નું જન્મસ્થળ મહુ અહીંયાથી વધારે દૂર નથી. મહુમાં તેમનું ઘર હોય કે દેશ-વિદેશમાં એ જ્યાં પણ રહે, એ સ્થળોને પંચતીર્થના રુપમાં વિકસિત કરવાનું સૌભાગ્ય ભાજપ સરકારનું મળ્યું છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબને જે સન્માન કોંગ્રેસે ક્યારેય આપ્યું નહીં, એ સન્માન કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે. કોંગ્રેસ જેવી પાર્ટીઓએ હંમેશા બાબા સાહેબને અપમાનિત કરવાનું કામ કર્યું છે.SS1MS