Western Times News

Gujarati News

તણાવ વચ્ચે મુઈઝુના મંત્રી ખાસ એજન્ડા સાથે ભારત પહોંચ્યા

નવી દિલ્હી, માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીર ભારત પહોંચી ગયા છે. ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે આ તેમની પ્રથમ સત્તાવાર ભારત મુલાકાત છે.

તેઓ એવા સમયે ભારત પહોંચ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા જ માલદીવે ભારતીય પ્રવાસીઓને વધુમાં વધુ સંખ્યામાં માલદીવની મુલાકાત લેવાની અપીલ કરી હતી.માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીર બુધવારે જ ભારત પહોંચ્યા હતા. તેઓ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા થશે.

બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર ભાર મૂકી શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટાડવા અંગે પણ ચર્ચા થઈ શકે છે.માલદીવથી રવાના થતા પહેલા મુસા જમીરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે હું મારી પ્રથમ ભારત મુલાકાતે જઈ રહ્યો છું. હું મારા ભારતીય સમકક્ષ વિદેશ મંત્રી એસ જયશંકરને મળવા માટે ઉત્સુક છું.

આ દરમિયાન બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે સહયોગ વધારવા પર ચર્ચા થશે.ભારત પહોંચવા પર તેમણે કહ્યું કે તેઓ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા આતુર છું.

માલદીવના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈસલે તાજેતરમાં કહ્યું હતું કે અમારી સરકાર ભારત સાથે મળીને કામ કરવા માંગે છે. અમારા લોકો અને અમારી સરકાર માલદીવમાં આવનારા ભારતીયોનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. પ્રવાસન મંત્રી તરીકે હું ભારતીયોને કહેવા માંગુ છું કે તમે વધુમાં વધુ સંખ્યામાં માલદીવ આવો.

આપણું અર્થતંત્ર વાસ્તવમાં પ્રવાસન પર આધારિત છે.તમને જણાવી દઈએ કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં માલદીવ જનારા ભારતીયોની સંખ્યામાં ૪૨ ટકાનો ઘટાડો થયો છે. માલદીવ ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રિય સ્થળ હતું.

પરંતુ બંને દેશો વચ્ચે તણાવ વધ્યા બાદ માલદીવ જનારા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પર્યટન મંત્રાલયના આંકડા અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે ૪૨,૬૩૮ ભારતીય પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી.

જ્યારે ગયા વર્ષે આ જ ચાર મહિનામાં ૭૩,૭૮૫ ભારતીય પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા.સ્થાનિક મીડિયાએ ભારત-માલદીવ વચ્ચેના તણાવ અને ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડા માટે મુઈઝુ સરકારને જવાબદાર ઠેરવી છે. મોહમ્મદ મુઈઝૂ ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં તણાવ છે. મુઈઝુને ચીનનો સમર્થક માનવામાં આવે છે.

તેમણે પોતાના ચૂંટણી પ્રચારમાં ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપ્યો હતો.સત્તામાં આવ્યા બાદ મુઈઝુએ માલદીવમાં હાજર ભારતીય સૈનિકોને પાછા ખેંચવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. માલદીવમાં ૮૮ ભારતીય સૈનિકો હતા. હવે આ જવાનોને પાછા બોલાવવામાં આવી રહ્યા છે.

માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મહત્વનો પાડોશી છે. એટલું જ નહીં, મોદી સરકારની ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ જેવી પહેલોમાં પણ માલદીવનું મહત્વનું સ્થાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.